Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીરમાં સિંહ દર્શન માટે દિવસો પહેલા બુકિંગની ઝંઝટમાંથી મુક્તિ

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:11 IST)
એશિયાટિક સિંહ દર્શન માટે દુનિયાના એકમાત્ર સ્થળ ગીરમાં આવતા લોકોના ઉત્સાહ અને પ્રવાસીઓની સંખ્યાને જોતા વન વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. લાયન સફારી માટેના એડવાન્સ બુકિંગના નિયમોને હળવા કરવામાં આવ્યા છે.હવે, નવા નિયમ મુજબ પ્રવાસીઓ લાયન સફારી માટે 30 મિનિટ પહેલા પણ બુકિંગ કરાવી શકશે. જે હાલ 48 કલાક અથવા 2 દિવસ જેટલું અગાઉ કરાવવું પડતું હતું. આ કારણે ક્યારેક અચાનક ટ્રિપનો પ્લાન કરી પહોંચેલા લોકોને ઉદાસ ચહેરે પરત ફરવું પડતું હતું.

આ ઉપરાંત ટુરિસ્ટ્સના ફાયદા માટે વન વિભાગે વેઇટિંગ લિસ્ટનો પણ કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. તેમજ વિઝિટની પરમિટ કેન્સલ કરાવવાનો સમયગાળો પણ 48 કલાકથી ઓછો કરીને 2 કલાક કરી દેવામાં આવ્યો છે. હાલ સાસણ પાસે આવેલ દેવળીયા સફારી પાર્કમાં સિંહ જોવા માટે તમે ઓનલાઇન પરમિટ બુક કરવી પડે છે. હવે ટુરિસ્ટ માત્ર 30 મિનિટ પહેલા વિઝિટ માટે બુકિંગ કરાવી શકશે. તેમજ પ્રવાસીઓના ફાયદા માટે અમે વેઇટિંગ લિસ્ટનો પણ કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. વન વિભાગ દ્વારા વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને SMS દ્વારા પરમિટ કન્ફર્મેશનની જાણકારી આપવામાં આવશે અને જો પરમિટ કન્ફર્મ નહીં થાય તો ફીની પૂર્ણ રકમ રીફન્ડ કરવામાં આવશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટાકા અને ટામેટાના રસથી મેળવો બેદાગ અને ચમકદાર ત્વચા,

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

International Women Day 2025 - મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે ? ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત

અળસીના બીજ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ, દિવસમાં કેટલીવાર ખાવા જોઈએ?

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments