Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2025: કોણ છે આશુતોષ શર્મા ? જેમણે ફરી બતાવ્યો દમ, ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં ઉતરીને લખનૌ પાસેથી જીત છીનવી

IPL 2025: કોણ છે આશુતોષ શર્મા ?  જેમણે ફરી બતાવ્યો દમ  ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં ઉતરીને લખનૌ પાસેથી જીત છીનવી
Webdunia
મંગળવાર, 25 માર્ચ 2025 (11:15 IST)
લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરનારા દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન આશુતોષ શર્માએ એકવાર ફરી આઈપીએલમાં પોતાનો દમ બતાવ્યો. આશુતોષે ગયા વર્ષે પણ આવી જ રમત રમી હતી અને હવે લખનૌ વિરુદ્ધ પણ તેણે આવુ જ કર્યુ. આશુતોષે 31 બોલ પર પાંચ ચોક્કા અને પાંચ છક્કાની મદદથી 66 રનની અણનમ રમત રમી અને લખનૌના મોઢામાંથી જીત જીનવી લીધી. 
 
આશુતોષના દમ પર જીતી દિલ્હી 
આશુતોષ શર્માની હાફ સેંચુરી રમતને કારણે દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત જીતથી કરી. સોમવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલ આ મુકાબલામાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનૌએ નિલોલસ પૂરન અને મિચેલ માર્શની ધમાકેદાર હાફ સેંચુરીને કારણે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા. જવાબમાં દિલ્હીએ 19.3 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા અને મુકાબલો પોતાને નામે કર્યો. 
 
 લક્ષ્યનો પીછો કરતી વખતે, દિલ્હીની સ્થિતિ સારી નહોતી અને તેણે 65 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા આશુતોષે પોતાની તાકાત બતાવી અને એકલા હાથે લખનૌના નબળા બોલિંગ આક્રમણને હરાવ્યું. તેણે વિપરાજ નિગમ સાથે સાતમી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી. જોકે, બીજા છેડેથી વિકેટો પડતી રહી, પરંતુ આશુતોષ અંત સુધી ટકી રહ્યો અને સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો.
 
અગાઉની સીઝનમાં પંજાબ તરફથી રમ્યા હતા આશુતોષ
આશુતોષ આ પહેલા પંજાબ કિંગ્સ માટે રમતા હતા અને તેમણે અગાઉની સીજન ગુજરાત ટાઈટન્સ વિરુધ પણ આવુ જ પ્રદર્શન કર્યુ હતુ. તેમણે પંજાબને જીતના દરવાજા સુધી પહોચાડવામાં આશુતોષે મહત્વની ભૂમિકા ભજવી હતી.  આ મેચમાં પણ આશુતોષ ઈમ્પેક્ટ પ્લેયરના રૂપમાં ઉતર્યા હતા અને તેમણે શશાંક સિંહ સાથે મળીને ટીમને જીત અપાવી હતી. પંજાબે જોકે આ સીજન માટે આશુતોષને રિટેન કર્યો નહોતો અને દિલ્હીએ ખરીદી લીધો હતો. 
 
ચંદ્રકાંત પંડિત બન્યા હતા વિલન  
15 સપ્ટેમ્બર 1998ના રોજ મધ્યપ્રદેશના રતલામમાં જન્મેલા આશુતોષને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. તે નમન ઓઝાનો મોટો ફેન છે જે મધ્યપ્રદેશનો પણ છે. રતલામમાં જન્મ્યા પછી, તેમણે ઇન્દોરમાં અભ્યાસ કર્યો. તેણે મધ્યપ્રદેશ માટે ડેબ્યૂ કર્યું. જોકે, 2020 માં ચંદ્રકાંત પંડિત કોચ બન્યા બાદ તેમને ટીમ છોડવી પડી હતી. તેમનો એકમાત્ર સહારો તેમના બાળપણના કોચ ભૂપેન ચૌહાણ હતા, જેમના સહારે તેમને મુશ્કેલ સમયમાં પ્રેરણા મળી. આશુતોષે 2023 માં પોતાનો કોચ ગુમાવ્યો. આ પછી તેણે રેલવે તરફથી રમવાનું નક્કી કર્યું. ભારત માટે રમી ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન નમને આશુતોષને આ સ્થાન સુધી પહોંચવામાં ઘણી મદદ કરી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Time Saving Cleaning Hacks: જો તમે ફ્લેટમાં એકલા રહો છો, તો આ સ્માર્ટ ક્લિનિંગ હેક્સ સમય બચાવશે અને ઘરને સ્વચ્છ રાખશે.

વોક કરતી વખતે તમારા શરીરમાં દેખાય આ લક્ષણ તો સમજી લો કે બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું છે

દહીં અને લસણથી બનાવો સ્વાદિષ્ટ શાક, સ્વાદ એવો કે તમે આંગળીઓ ચાટતા રહી જશો, જલ્દી નોંધી લો રેસીપી

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

વધુ જુઓ..

નવીનતમ

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

આગળનો લેખ
Show comments