Biodata Maker

ગુજરાતમાં કોરોનાના લક્ષણો ચેક કરવા 30 જિલ્લામાં રેપિડ એન્ટી બોડી ટેસ્ટ શરૂ

Webdunia
શુક્રવાર, 24 એપ્રિલ 2020 (16:03 IST)
રાજ્યમાં કોરોનાએ હવે ગંભીર સ્વરૂપધારણ કર્યું છે. અત્યાર સુધીમાં કોરોનાના 2624 દર્દી નોંધાઈ ચૂક્યા છે અને 112 દર્દીના મોત થઈ ગયા છે. કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ અપડેટ આપતા કહ્યું કે, રાજ્યમાં કોરોના અંગેના ટેસ્ટ પૂર્વે પ્રારંભિક લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ત્વરાએ શોધી શકાય તે માટે રેપિડ એન્ટી બોડી ટેસ્ટ કીટનો પણ વ્યાપક ઉપયોગ કરી રાજ્યના 30 જેટલા જિલ્લામાં આવા સર્વેલન્સ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આવી 24 હજાર કીટ ભારત સરકાર તરફથી ગુજરાતને આપવામાં આવી છે. જયંતિ રવિએ વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં ટેસ્ટ માટે 15 સરકારી અને 4  ખાનગી મળીને 19 લેબોરેટરી દરરોજ કુલ 3000 ટેસ્ટની ક્ષમતા સાથે કાર્યરત છે. આ લેબોરેટરીમાં કરવામાં આવતા ટેસ્ટના રિપોર્ટ એક જ દિવસમાં આવી જાય તેવી ક્ષમતાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) દ્વારા વધુ 1 લેબ ગાંધીનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.  આરોગ્ય અગ્ર સચિવે આગળ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો કર્યો છે. મહિનાની શરૂઆતમાં દરરોજ 100 ટેસ્ટ કરતા હતા. 5 એપ્રિલ સુધીમાં 429 સુધી લઈ ગયા અને 10મી એપ્રિલથી 1519 સુધી પહોંચ્યા અને 16મી એપ્રિલે 1706 જેટલા ટેસ્ટ કર્યા, 18 એપ્રિલે 2664 જેટલા ટેસ્ટ કર્યા અને 19મીએ 3002 ટેસ્ટ કર્યાં. 23 એપ્રિલ સુધીમાં રોજના 2963 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પરંતુ પંચમહાલથી લઈ દાહોદ, બનાસકાંઠા અને પાટણથી ટેસ્ટ થઈને આવવા લાગ્યા હતા. રાજ્યના બધા જિલ્લામાંથી 100-100 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં 4212 ટેસ્ટ કરવામાં આવ્યા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

આગળનો લેખ
Show comments