Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિશન જેવા હાલ કરવા દિલ્હીના મૌલાનાએ ગુજરાતના 48 સહિત દેશના 1500 લોકોનું હિટ લિસ્ટ બનાવ્યાનો ઘટસ્ફોટ

Webdunia
મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (08:49 IST)
ધંધુકાના કિશન ભરવાડની હત્યાના માસ્ટર માઇન્ડ આરોપી દિલ્હીના મૌલાના કમરગની ઉર્ફે અરમાનમિયાં હબીબુદ્દીન ઉસ્માનીને સેશન્સ કોર્ટ દ્વારા 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. રિમાન્ડ મેળવવા માટે પોલીસે કારણ રજૂ કર્યું હતું કે, નબીની ગુસ્તાખી કરનારા 1500 માણસોની યાદી કમરગની પાસેથી કઢાવવાની છે. કમરગનીએ પૂછપરછમાં જણાવ્યુ છે કે યુપીમાં આવેલા શાહજહાંપુરમાં તેમની સંસ્થામાં આ યાદી તૈયાર કરાઇ છે. મુસ્લિમો વિરૂધ્ધના ઉશ્કેરણીજનક સાહિત્ય અંગે ફંડીગના રેકર્ડ પણ કબજે કરવાના છે. કમરગનીના ગુજરાતમાં 48 જેટલા લોકો સાથે સંપર્ક તપાસમાં મળ્યા છે તે અંગે પણ તપાસ કરવાની છે. કમરગની ગોમતીપુરમાં આવેલી ચાંદ શહીદની દરગાહ પાસે ફરોગે ઇસ્લામની શાખા ધરાવે છે. જેમા અમદાવાદ, બરોડા, સુરતમાં ઇસ્લામ વિરોધી કામ કરતા લોકો સામે શું કરવું તે નક્કી કરવામાં આવે છે? તેની વિગતો મેળવવાની છે. આ સંસ્થા માટે ફંડ ફાળો કોણ આપે છે? અત્યાર સુધી કોણે ફંડ આપ્યુ છે? તહેરીકે ફરોગે ઇસ્લામ એજયુકેશન એન્ડ વેલફેર સોસાયટીના બેન્ક સ્ટેટમેન્ટની નકલ મળી આવી છે. કમરગની સાથે પોલીસ પ્રાથમિક પૂછપરછ દરમ્યાન તેનું ઘર કયા આવ્યંુ તેના જવાબમાં કહ્યુ કે હુ જાણતો નથી. આ સરનામું મેળવવા રિમાન્ડની જરૂર છે. અન્ય ગુનામાં આરોપી છે પરતું પોલીસ તપાસમાં સહકાર આપતો નથી.ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરનારાને પાઠ ભણાવવા ઘણા સમયથી આંદોલન ચલાવે છે.દેશ આખામાં ફરીને વકીલોને ફી ચૂકવે છે તેવી વિગતો પર તપાસ કરવાની છે. પોતે આર્થિક રીતે સદ્ધર નથી તેથી ફંડ કયાથી આવે છે? તેની તપાસ કરવામાં રિમાન્ડની જરૂર છે.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments