Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

Kishan Bharwad murder case- કિશન હત્યા કેસમાં ખુલાસોઃ મૌલાના કમરગની લખનઉમાં રજિસ્ટ્રેડ TFI નામનું સંગઠન ચલાવે છે, દેશભરમાં સભ્યો બનાવી દૈનિક એક રૂપિયાની દાન મેળવે છે

Dhandhuka Kishan Bharwad murder case
, ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (15:53 IST)
ધંધૂકામાં કિશન હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ સમગ્ર કેસમાં પાકિસ્તાનનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ ખુલસો નહીં થયો હોવાનું ATSના અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.આરોપીઓ પાકિસ્તાન કે અંડર વર્લ્ડના સંપર્કમાં હતા કે કેમ તે અંગે પણ તપાસમાં હજી કંઈ સામે આવ્યું નથી. મૌલાના કમરગનીની પૂછપરછમાં ATSને જાણવા મળ્યું છે કે તે TFI નામનું સંગઠન ચલાવી રહ્યો છે જેનું લખનઉમાં રજીસ્ટ્રેશન થયેલું છે. પોતાના સંગઠન માટે કમરગની દેશભરમાં સભ્યો બનાવી દૈનિક 1 રૂપિયાનું દાન મેળવે છે. સાથે જ તેના આ સંગઠન TFIના 2 જુદા જુદા બેંક અકાઉન્ટ હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ કેસની તપાસ માટે સેન્ટ્રલ IB, NIA સહિતની એજન્સી અમદાવાદ આવી છે.મૌલાનાના સંગઠનના બંને અકાઉન્ટમાં થયેલ નાણાકીય લેવડદેવડ અંગે ગુજરાત ATS તપાસ કરી રહી છે.ગુજરાત ATSએ તપાસ અંગે જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કોઈ સીધું કે આડકતરું કનેક્શન છે કે નહી તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. મૌલાના કમરગની દુબઈમાં કોની સાથે વાત કરતો હતો તે અંગે પણ હજુ તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે ખુલાસો થવાની શક્યતા છે. અત્યાર સુધી આ કેસમાં 08 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તે ઉપરાંત વધુ પકડાયેલા 03 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ATSએ જણાવ્યું છે કે કિશનની હત્યામાં ઝડપાયેલ આરોપી શબ્બીર અને મૌલાના કમરગની વચ્ચે અમદાવાદમાં મુલાકાત થઇ હતી. તેઓ શાહઆલમની એક મસ્જિદમાં મળ્યા હતા. ATSની તપાસમાં ખુલ્યું છે કે મૌલાના કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટીપ્પણી કરનાર લોકો પર કેસ કરાવતો અને જેહાદી ષડ્યંત્ર રચીને યુવકોની હત્યા માટે શબ્બીર જેવા યુવાનોને પ્રેરતો. આવા જ એક જેહાદી ભાષણથી પ્રેરાઈને આરોપી શબ્બીરે ધંધુકાના કિશન ભરવાડની હત્યા કરી હતી.કમર ગની ઉસ્માની ગુજરાતમાં એક બેવાર નહીં પણ અનેકવાર આવી ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, અમદાવાદના ચંડોળા તળાવથી લઈ શાહ આલમમાં પણ તે એક્ટિવ હતો. આ મુલાકાતો દરમિયાન મૌલાના ગુજરાતની શાંતિ ડહોળવાના મનસૂબા લોકો સુધી પહોંચાડી ગયો હોવાની વિગતો એક પછી એક ખુલ્લી રહી છે. કમર ગની અમદાવાદના ગોમતીપુર, દાણીલીમડા, ચંડોળા, શાહ આલમ જેવા વિસ્તારોમાં આવીને સોફ્ટ ટાર્ગેટ લોકોને મળ્યો હતો. મૌલાનાની કટ્ટરપંથી વાતોમાં અનેક લોકો આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kishan Bharwad murder case,- કિશન હત્યા કેસઃ ATS નો મોટો ખુલાસો