Webdunia - Bharat's app for daily news and videos

Install App

Canada US Border Deaths: કેનેડા-યુએસ સીમા પર બરફમાં જામી ગયા એક નવજાત સહિત 4 ભારતીય, માનવ તસ્કરીનો શક

Webdunia
શનિવાર, 22 જાન્યુઆરી 2022 (10:58 IST)
અમેરિકા નજીકની  કેનેડાની સરહદ પર ઠંડીના કારણે એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. મૃતકોમાં એક નવજાત બાળક પણ સામેલ છે. યુએસ પોલીસ તેને માનવ તસ્કરી સંબંધિત મામલો ગણાવી રહી છે. એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકી સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન, બગડતા હવામાનને કારણે બરફવાળા વિસ્તારમાં ભારે ઠંડીને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
 
મૈનટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) એ જણાવ્યું હતું કે બુધવારે એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદની કેનેડિયન બાજુએ ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જેમાંથી બે મૃતદેહ પુખ્ત વયના લોકોના છે, એક કિશોરનો અને એક નવજાત બાળકનો છે. આરસીએમપીના આસિસ્ટન્ટ કમિશનર જેન મૈક્લૈચીએ કહ્યું કે આજે હું જે માહિતી શેર કરવા જઈ રહ્યો છું તે ઘણા લોકો માટે સાંભળવી મુશ્કેલ છે. આ ચોક્કસપણે એક હ્રદયસ્પર્શી અકસ્માત છે. તપાસના પ્રારંભિક તબક્કામાં એવું લાગી રહ્યું છે કે ઠંડીના કારણે તમામના મોત થયા છે.
 
મૈક્લૈચીએ જણાવ્યું હતું કે આરસીએમપીનું માનવું છે કે ચાર મૃતકો એ ગ્રુપનો ભાગ હતા જેમને સરહદ નજીકના યુએસ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ચારેય મૃતદેહો સરહદથી 9 થી 12 મીટરના અંતરે મળી આવ્યા હતા. અહેવાલો અનુસાર, મૈનટોબા આરસીએમપીને બુધવારે યુએસ કસ્ટમ્સ અને બોર્ડર ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી માહિતી મળી હતી કે ઇમર્સન નજીકના લોકોનું એક જૂથ સરહદ પાર કરીને યુએસમાં પ્રવેશ્યું હતું, જેમા એક વયસ્કના હાથમાં બાળકના ઉપયોગની વસ્તુઓ છે. પરંતુ સમુહમાં નવજાત બાળક નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં બનાવો સ્ટફ્ડ કારેલા, તેનો સ્વાદ એટલો સરસ કે બધાને ભાવશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments