Webdunia - Bharat's app for daily news and videos

Install App

AAPના MLA ચૈતર વસાવાનું સરન્ડર, વીડિયો શેર કરીને કહ્યું, આદિવાસીઓ માટે લડતો રહીશ

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (12:18 IST)
AAP MLA Chaitar Vasawa Surender, shares video, says will continue to fight for tribals
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા વનકર્મીઓને માર મારવાના કેસમાં એક મહિનાથી ફરાર હતાં અને હવે તેઓ આજે દેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયાં છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. ગઈ કાલે જૂનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું ધરી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને આજે ચૈતર વસાવાએ સરેન્ડર કરી દેતાં રાજકારણ વધુ ચર્ચાસ્પદ બન્યું છે.

ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થયાં પહેલાં નિવેદન આપ્યું હતું કે, અમે ગુજરાતની જનતા માટે બોલીએ છીએ તેનો બદલો લેવામા આવે છે. પહેલા મને લોભલાલચ આપવામાં આવી તેમાં હુ ન ગયો એટલે મારા પર ખોટો કેસ કરવામા આવ્યો. પહેલા પણ 2019ની લોકસભામાં મને 3 દિવસ પુરી રાખવામા આવ્યો હતો. તેવી જ રીતે આમાં પણ મને ફસાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, હું ધારાસભ્યો બન્યો એ પછી મારા કામ જોઈને ભાજપના લોકોએ ખોટી રીતે ચૂંટાયો હોવાનું કહીને હાઇકોર્ટમાં મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે પિટિશન દાખલ કરી હતી. જે કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ જાહેર કર્યો હતો. મારા પર ખોટા કેસો કરી મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે.ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ કહ્યું કે, ભૂપતભાઈ રાજીનામુ આપ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે હુ પહેલાથી જ ભાજપનો હતો એટલે તેમનું ભાજપમાં જોડાવાનું નક્કી હશે. અમારા પર પણ ભાજપનું દબાણ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને પણ તેમણે ખોટી રીતે કેસ કરી ફસાવ્યા છે. એટલે ભાજપની સાથે સાથે સ્થાનિક નેતાઓનું પણ દબાણ છે. અમને ફસાવવા માટે ભાજપનું આ મોટું કાવતરુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments