Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ- અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મૃત્યુ

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (12:08 IST)
Rajkot- Ahmedabad Highway Accident,
ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. આજે સવારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતને પગલે બંને કારનો ફૂરચો બોલી ગયો હતો. સમગ્ર ઘટનાથી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ પાસે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને કારનો ફૂરચો બોલી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને કારના પતરાં કાપીને અંદરથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિકજામને હળવો કર્યો હતો. ત્યારબાદ ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments