Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટ- અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મૃત્યુ

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (12:08 IST)
Rajkot- Ahmedabad Highway Accident,
ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. આજે સવારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતને પગલે બંને કારનો ફૂરચો બોલી ગયો હતો. સમગ્ર ઘટનાથી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ પાસે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને કારનો ફૂરચો બોલી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને કારના પતરાં કાપીને અંદરથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિકજામને હળવો કર્યો હતો. ત્યારબાદ ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments