Webdunia - Bharat's app for daily news and videos

Install App

BMC Sealed Prithvi Apartments - આ કારણે સીલ થઈ સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (13:36 IST)
કોવિડ 19ની બીજી લહેર ગયા પછી લોકોનુ જીવન ફરીથી પાટા પર પરત ફરવા માંડ્યુ છે. પણ બીજી લહેર વીત્યા પછી લોકો વચ્ચે જોરદાર બેદરકારી જોવા મળી રહી છે. જ્યારબા ત્રીજી લહેર આવવાનુ સંકટ વધી ગયુ છે. સરકાર દ્વારા વારંવાર લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. પણ લોકો ઘડલ્લેથી નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. 
 
હવે લોકો વચ્ચે વધતી બેદરકારી અને કોવિડ 19ના નવા ડેલ્ટા વેરિએંટ કેસ સામે આવ્યા પછી બીએમસીએ મુંબઈના પૃથ્વી અપાર્ટમેંટ્સને સંપૂર્ણ રીતે સીલ કરી દીધુ છે. બીજી બાજુ એપાર્ટમેંટ છે જયા બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટીનો પરિવાર રહે છે. જો કે રાહતની વાત એ છે કે અભિનેતાઓ પરિવાર એકદમ સુરક્ષિત છે. બીએમસીએ આ પગલુ સાવધાનીના રૂપમાં ઉઠાવ્યુ છે. 
 
 
બીએમસીના આસિસ્ટેંટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે ન્યુઝ એજંસી એનએનઆઈ સાથે વાત કરતા આ સમાચારની ચોખવટ કરી છે અને જણાવ્યુ કે કોવિડના કેટલાક કેસ સામે આવ્યા પછી બીએમસીએ સાઉઠ મુંબઈના  Altamount Road પર આવેલ પૃથ્વી એપાર્ટમેંટને સીલ કરી દીધુ છે. કમિશ્નરે એ પણ માહિતી આપી છે કે અભિનેતાઓ પરિવાર એકદમ સુરક્ષિત છે. 
 
 તમને યાદ અપાવી દઈએ કે મુંબઈ તે શહેર છે જ્યાં કોરોનાની બીજા લહેરના સૌથી કેસ નોંધાયા હતા. આજથી બે મહિના પહેલા આખા શહેરમાં કોવિડને કારણે હાહાકાર મચી ગયો હતો. જે બાદ મુંબઇમાં પ્રથમ મીની લોકકડાઉન લાગુ કરવામાં આવ્યું. ટીવી સિરિયલો અને ફિલ્મ્સના શૂટિંગ ઉપર પણ બંધ કરવામાં આવ્યા હતા. 
 

સંબંધિત સમાચાર

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

આગળનો લેખ
Show comments