Webdunia - Bharat's app for daily news and videos

Install App

Attacker of Gorakhpur temple Abbasi - ગોરખપુર મંદિરનો હુમલાખોર અબ્બાસી જામનગર પણ આવ્યો હતો : નવો ધડાકો

Webdunia
બુધવાર, 6 એપ્રિલ 2022 (11:17 IST)
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ( Gorakhpur gorakhnath temple) ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો પર હથિયારોથી હુમલો કરી નારેબાજી કરનાર અને મંદિરમાં ઘૂસી જનાર શખસનું જામનગર કનેકશન ખૂલ્યું છે, જેમાં થોડા સમય માટે તેના પિતા ખાનગી કંપનીમાં લો-ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મુર્તઝા પણ ખાનગી કંપનીમાં જોડાયો હતો, પરંતુ તેને અનફિટ જાહેર કરાયો હતો. જે-તે સમયે મુર્તઝાની ટૂંકી સારવાર જામનગરમાં થઈ હોવાનું જાણવા મળે છે.ગોરખનાથ મંદિરમાં ઘૂસી પોલીસ પર હુમલો કરી નારેબાજી કરી આતંક મચાવનાર અહેમદ મુર્તઝા મુનીર અબ્બાસીનું જામનગર કનેકશન ખૂલ્યું છે, જેમાં પિતા મુનીર અબ્બાસી 4 વર્ષ જેટલો સમયગાળો જે-તે સમયે જામનગરમાં એસ્સાર કંપનીમાં લો-ઓફિસર તરીકે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતા. જ્યારે મુર્તઝાને ત્યારે ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ હતી, પરંતુ તે નોકરી પર જતો નહોતો અને ઘરે રૂમમાં બેસી રહેતો હતો. જેથી રાજીનામું લઈ લેવાયું હતું. બીજી નોકરીમાં તેને અનફિટ જાહેર કરાયો હતો.ગોરખપુર મંદિરના હુમલાખોરનું જામનગરનું કનેક્શન ખૂલતાં સ્થાનિક પોલીસની સાથોસાથ આઇબી સહિતની સરકારી એજન્સીઓ પણ ચોંકી હતી અને સંબંધિત કંપની સહિતનાં સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments