rashifal-2026

Delhi - મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (19:12 IST)
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્હી સરકારમાં મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. બંને મંત્રીઓ હાલમાં તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે, ત્યારબાદ બંને પર રાજીનામું આપવાનું દબાણ હતું. તમને જણાવી દઈએ કે CBI દ્વારા રવિવારે જ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, સત્યેન્દ્ર જૈન ચિટ ફંડ કૌભાંડમાં છેલ્લા ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે. ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
 
સરકારમાં 18 મંત્રાલય સાચવી રહયા હતા સિસોદિયા  
 
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બંનેના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. જણાવી દઈએ કે મનીષ સિસોદિયા દિલ્હી સરકારના કુલ 33 મંત્રાલયોમાંથી 18 મંત્રાલયો સંભાળતા હતા, જેમાંથી નાણા મંત્રાલય, ગૃહ મંત્રાલય, આબકારી અને PWDના પ્રમુખ હતા. આ સાથે સત્યેન્દ્ર જૈન ધરપકડ પહેલા આરોગ્ય વિભાગ સંભાળતા હતા, પરંતુ ધરપકડ બાદ મનીષ સિસોદિયા આરોગ્ય વિભાગનું કામ પણ જોઈ રહ્યા હતા. જૈન હાલમાં કોઈપણ મંત્રાલય વિના મંત્રી હતા.

<

Delhi ministers Manish Sisodia and Satyendar Jain resign from their posts in the state cabinet; CM Arvind Kejriwal accepts their resignation. pic.twitter.com/rODxWkSoc9

— ANI (@ANI) February 28, 2023 >
 
હાલ કોઈ નવા મંત્રી નહી બને - સૂત્ર
 
સૂત્રોના જણાવ્યા અનુસાર સમાચાર આવ્યા છે કે હાલમાં સરકારમાં કોઈ નવા મંત્રી બનાવવામાં આવશે નહીં. વિભાગોની વહેંચણી વર્તમાન મંત્રીઓમાં જ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મનીષ સિસોદિયાના મંત્રાલયોના કેટલાક વિભાગો કૈલાશ ગેહલોતને અને કેટલાક વિભાગો રાજકુમાર આનંદને આપવામાં આવશે. 
 
સીબીઆઈએ રવિવારે સિસોદિયાની કરી હતી ધરપકડ 
 
જણાવી દઈએ કે સીબીઆઈ દ્વારા રવિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં લગભગ 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, CBIએ તેમને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા. આ પછી આજે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

સુનીતાના ખોળામાં 3 મહિનાની પુત્રીએ તોડ્યો હતો દમ, ગોવંદાને જોઈતો હતો પુત્ર, ડોક્ટરને વિનંતી કરતી રહી પત્ની

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

આગળનો લેખ
Show comments