Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનીષ સિસોદિયાને દિલ્હીમાં એક્સાઇઝ નીતિના કેસ સંબંધે પૂછપરછ માટે સીબીઆઈનું તેડું

મનીષ સિસોદિયાને દિલ્હીમાં એક્સાઇઝ નીતિના કેસ સંબંધે પૂછપરછ માટે સીબીઆઈનું તેડું
, રવિવાર, 19 ફેબ્રુઆરી 2023 (11:01 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને કથિત દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ સંદર્ભે પૂછપરછ માટે સીબીઆઈ (સૅન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા રવિવારે બોલાવવામાં આવ્યા હતા. જોકે, સિસોદિયાએ તપાસ એજન્સી પાસે વધુ સમયની માંગણી કરી છે.
 
સિસોદિયા સહિત કુલ 15 લોકો વિરુદ્ધ આ કથિત કૌભાંડમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને તેમને આરોપી દર્શાવવામાં આવ્યા છે.
 
સિસોદિયાએ દિલ્હી રાજ્યના બજેટની તૈયારીનું કારણ આપીને વધુ સમયની માંગણી કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસને તેમણે જણાવ્યું હતું કે, “આ ફેબ્રુઆરીનું અંતિમ સપ્તાહ છે, અને આ મારા માટે ખૂબ જ મહત્ત્વનો સમય છે કારણકે હાલમાં દિલ્હીનું વાર્ષિક બજેટ તૈયાર થઈ રહ્યું છે. મેં તેમને ફેબ્રુઆરીના અંત સુધીનો સમય માંગ્યો છે, જેથી બજેટ અંતિમ સ્વરૂપ આપી શકાય.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કમલા હૅરિસનો આરોપ, રશિયાએ માનવતા વિરુદ્ધ ગંભીર અપરાધો આચર્યા છે