rashifal-2026

આ 5 વસ્તુઓ ઉનાળામાં શરીરમાં પાણીની કમી નહી થવા દે, જે લોકો ઓછું પાણી પીવે છે તે પોતાના ખોરાકમાં કરો શામેલ

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (19:20 IST)
ડાયટિશિયન્સ દિવસમાં ઓછામાં ઓછા બે લિટર પાણી પીવાની ભલામણ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ બે લિટર પાણી પીવું શક્ય નથી. આ જ કારણ છે કે જો કોઈને તરસ વધુ લાગે છે તો કોઈ ઓછું લાગે છે. આવી સ્થિતિમાં દેખીતુ છે કે ઓછી તરસ લાગતા લોકો  પાણી પણ ઓછું પીતા હશે .આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓ લેવી જોઈએ જેથી શરીરમાં પાણીની કમીની પૂર્તિ થઈ શકે.  આવે. ચાલો, જાણીએ કેટલાક આવા જ આહાર-
 
દહી 
ડિહાઇડ્રેશનની સમસ્યાથી દૂર રહેવા માટે દહીં શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં 85 ટકા પાણીની માત્રા હોય છે અને તેમાં શરીર માટે જરૂરી પ્રોબાયોટિક્સનો પૂરતો જથ્થો હોય છે, તે શરીરને ગરમીની એલર્જીથી બચાવવામાં પણ મદદ કરે છે. તે પ્રોટીન, વિટામિન બી અને કેલ્શિયમનુ સારુ સ્રોત છે.
 
બ્રોકલી - 
બ્રોકોલીમાં 89 ટકા જેટલું પાણી હોય છે અને તે પોષણથી સમૃદ્ધ છે. તેની પ્રકૃતિ એંટ્રીઈંફ્લેમેટરી હોય છે, જેના કારણે તે ગરમીમાં થનારી એલર્જી સામે રક્ષણ આપે છે. તમે તેને ફક્ત સલાડમાં કાચી ખાઈ શકો છો અને તમે ચાહો તો ટોસ્ટ પર રોસ્ટ કરીને તેનો પૂરો ફાયદો પણ લઈ શકો છો. મોટા ભાગના લોકો તેની શાકભાજી પણ બનાવે છે.
 
સફરજન 
એક કહેવત છે કે ડોક્ટરથી તમારાથી દૂર રાખવા માટે રોજ એક સફરજન ખાવ. અનેક રીતે લાભકારી સફરજનમાં 86 ટકા પાણી હોય છે. તે ફાઈબર, વિટામિન સી વગેરેનો સારો સ્રોત છે.
 
સલાદ 
સલાદના પાનમાં 95 ટકા પાણીનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ સેન્ડવીચમાં થાય છે. પ્રોટીન અને ઓમેગા 3 થી ભરપૂર સલાદમાં ચરબી હોતી નથી અને કેલરી પણ ખૂબ ઓછી હોય છે.
 
ભાત
ઉનાળામાં રાંધેલા ભાત પણ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં 70 ટકા પાણીનું પ્રમાણ છે. તેમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ વગેરે પણ પૂરતા પ્રમાણમાં હોય છે. તમારે દિવસમાં એક વાડકી ભાત જરૂર ખાવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

ટ્રમ્પે પીએમ મોદી સાથેની વાતચીતની માહિતી સાર્વજનિક કરી, અપાચે ડીલનો પણ કર્યો ઉલ્લેખ

Bhopal: ધોતી-કૂર્તામાં ઉતર્યા ક્રિકેટર, સંસ્કૃતમાં થઈ કોમેંટ્રી, ભોપાલમાં શરૂ થઈ અનોખી મેચ શ્રેણી

બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યાને લઈને ખોલ્યુ રહસ્ય, બતાવ્યુ કેમ થયુ મર્ડર, કોણો છે હાથ

ભારતમાં રમો અથવા પોઈન્ટ ગુમાવો, BCB ની T20 WC નાં વેન્યુ શિફ્ટ કરવાની માંગને લઈને ICC નો મોટો નિર્ણય

વધુ જુઓ..

ધર્મ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

આગળનો લેખ
Show comments