Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે મુસલમાનોને ઉશ્કેરી રહી છે કોંગ્રેસ - વસીમ રિઝવી

Webdunia
બુધવાર, 6 ડિસેમ્બર 2017 (15:32 IST)
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ ગુજરાતમાં રાજનીતિક બઢત મેળવવામાં લાગેલ કોંગ્રેસ પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે.  તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી રાજ્યામં મુસલમાનોને ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે ઉશ્કેરી રહી છે.  રિઝવીએ સાથે જ એ પણ કહ્યુ કે ગોધરા કાંડ પછી ભડકેલા રમખાણો પછી ગુજરાતમાં એકદમ શાંતિ છે. વર્ષ 2002માં થયેલ રમખાણોમાં સેકડો લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત હજારો કરોડની સંપત્તિયો બરબાદ થઈ ગઈ હતી. બીજી બાજુ 15 વર્ષમાં કોઈ પણ પ્રકારની હિંસા થઈ નથી. 
 
વસીમ રિઝવીએ કહ્યુ હુ ગુજરાતના મુસલમાનો સાથે વાત કરી છે.  ક્યાક ને ક્યાક કોંગ્રેસ કાર્યકર્તા ત્યાના મુસલમાનોને સમજાવી રહ્યા છે કે જો વર્તમાન હુકુમત જતી રહી અને કોંગ્રેસની સરકાર બની ગઈ તો તે ત્યા ફરીથી માથુ ઉઠાવીને જીવશે.  તેમના મનમા ક્યાક ને ક્યા એ પણ ફીડ કરવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસની સરકાર બન્યા પછી ગુજરાત રમખાણોનો બદલો પણ લેવામાં આવશે.  આ એક ખૂબ ગંભીર વાત છે. રમખાણો પછી ગુજરાત આજ સુધી શાંત છે.  એ શાંત ગુજરાતમાં કોંગ્રેસ ક્યાક ને ક્યાક રમખાણોની ચિંગારી ને હવા આપી રહી છે. ગુજરાતના મુસલમાનોએ વિચારવુ પડશે કે જો કોંગ્રેસનો સાથ આપવો છે તો આવુ સમજી વિચારીને કરવુ પડશે. કોંગ્રેસે હંમેશા મુસ્લિમોને નુકશાન પહોચાડ્યુ છે. 
 
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર પણ ચોંકાવનારી વાત કરી છે. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ મંદિર-મસ્જિદ મામલે ગેમ રમી રહી છે.  કોંગ્રેસ નથી ઈચ્છતી કે આ મામલાનો હલ આવે. ન મંદિર બને ન મસ્જિદ. આ મામલે જો કોઈ અસલી રાજનીતી કરી રહ્યુ છે તો તે કોંગ્રેસ છે.  આ પ્રક્રિયામાં રિઝવી અનેક મુસલમાનો સાથે ટચમાં છે અને સામાન્ય સહમતિ બનાવવાની કોશિશમાં લાગ્યા છે. રિઝવીએ જણાવ્યુ કે તેમણે આ બાબત ગુજરાતના મુસલમાનો સાથે વાત કરી છે.  ઉલ્લેખનીય છે કે રામ મંદિર મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ્માં અંતિમ દોરની સુનાવણી ચાલી રહી છે. મંગળવારે થયેલ સુનાવણીમાં ટોચના કોર્ટે તેને હાલ ટાળી દીધી છે. 

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments