Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનીઓની હડતાળથી શહેરમાં 200 કરોડના વ્યવહારો અટક્યા, હોલમાર્કિંગના નવા નિયમના અમલ સામે વિરોધ

Webdunia
મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (07:53 IST)
સોનાના દાગીના ઉપર હવેથી ફરજિયાત બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા હોલમાર્કિગ યુનિક આઇડી (એચયુઆઇડી) લાગુ પાડવાના વિરોધમાં જ્વેલર્સે સોમવારે એક દિવસની ટોકન હડતાળ પાડી હતી. જેના કારણે શહેરના મુખ્ય બજારો માણેકચોક, સીજી રોડ, સેટેલાઇટ, સાબરમતી, મણિનગર, અમરાઈવાડી, ખોખરા, નરોડા સહિતના વિસ્તારોમાં જ્વેલર્સની દુકાનો શો રૂમ બંધ રાખ્યા હતા.

હડતાળને પગલે શહેરમાં 150થી 200 કરોડના વ્યવહાર અટવાઈ ગયા હતા. એસોસિએશને સોમવારની હડતાળ બાદ સરકારને તેમની રજૂઆતને ધ્યાનમાં લેવા અને જલદી નિર્ણય કરવા કહ્યું છે. ગુજરાત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ ઝવેરીભાઇ ઝવેરીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને પત્ર લખીને હોલમાર્કિંગના અમલ અંગે રજૂઆત કરીને સોમવારે સંપૂર્ણ બંધ પાડ્યું હતું. હોલમાર્કિગના નવા એચયુઆઇડીના અમલથી વેપારીઓ અને ગ્રાહકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેની રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે નવા એચયુઆડીના કારણે સરકાર સમક્ષ અમે 7 મુદ્દાઓની માંગણી મુકી છે. જેમાં હોલમાર્કિંગ પોઇન્ટ ઓફ સેલ પર લાગુ કરવા, વેપારીની નોંધણી રદ ન કરવા, લાઈસન્સ રાજ, કાર્ય ક્ષમતામાં ઘટાડો અને ફોજદારી કેસો જેવા મુદ્દાઓ છે. લાઈસન્સ રદ કરવા, રૂ. 10 હજારનો દંડ અને ઈન્સ્પેક્ટર રાજ ઉદ્યોગોને ડરાવી રહ્યો છે. શહેરમાં નાના-મોટા 10 હજાર દુકાનો-શોરૂમ તેમજ જ્વેલર્સ સાથે સંકળાયેલા લોકોએ બંધ પાળ્યો હતો. માત્ર ગુજરાતમાં જ રોજનું અંદાજે રૂ. 500 કરોડનું ટર્ન ઓવર થતું હોય છે. જ્યારે અમદાવાદમાં રોજનું રૂ. 150થી 200 કરોડનું ટર્ન ઓવર થાય છે. આ મુદ્દાઓ જલ્દીથી ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉદ્યોગ ખરાબ રીતે પડી ભાંગશે અને લાખો લોકો આજીવિકાને ગંભીર અસર પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments