Festival Posters

સ્ત્રીઓ રસોડામાં રાખે આ વાતોનું ધ્યાન, નહી તો પતિના ભાગ્ય પર પડશે ખરાબ અસર

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (18:34 IST)
વાસ્તુ મુજબ પતિ પત્ની બંનેનુ ભાગ્ય એકબીજા સાથે જોડાયેલુ હોય છે. આવામાં એકબીજા દ્વારા કરવામાં આવેલ સારા-ખરાબ કાર્યનો પ્રભાવ એક બીજાના જીવન પર પણ પડે છે.  વાસ્તુશાસ્ત્રમાં પત્ની માટે કંઈક ખાસ નિયમ બતાવ્યા છે. જેનુ ધ્યાન ન રાખતા પતિના ભાગ્ય પર ખરાબ અસર પડે છે.  સાથે જ જો પત્ની કિચનમાં રસોઈ બનાવતા આ ભૂલો કરે છે તો પતિના ભાગ્ય પર તેની ખરાબ અસર પડે છે. 
 
તેથી કિચનમાં આ વાતોનુ રાખો ધ્યાન 
 
- કિચનમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવામાં આવે તો ઘરની સુખ શાંતિ માટે યોગ્ય નથી.  જેને કારણે ઘરમાં લડાઈ-ઝગડા થવાની શક્યતા બને છે. 
- પશ્ચિમ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી સામાન્ય ફળદાયક છે. આ દિશા રસોઈ બનાવવા માટે શુભ નથી મનાતી. 
- ઉત્તર દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી નુકશાનના યોગ બને છે. 
- ઘરમં સુખ શાંતિ કાયમ રાખવા માટે પૂર્વ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ. આ દિશા સૌથી સારી માનવામાં આવે છે.  ઘરમાં કિચન કોઈપણ દિશામાં હોય, રસોઈ બનાવનારનુ મોઢુ પૂર્વ દિશા તરફ રહેશે તો તે ખૂબ શુભ રહે છે. 
- વાસ્તુ અને જ્યોતિષ મુજબ નાહ્યા વગર રસોઈ ન બનાવવી જોઈએ અને ન તો ખાવુ જોઈએ. આવુ કરવાથી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. સાથે જ આ વાતનુ ધ્યાન ન રાખવાથી ઘરમાં દોષ વધે છે અને પતિ-પત્નીને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. 
- રસોડામાં એક બારી જો પૂર્વ દિશા તરફ હોય તો તે ખૂબ સારુ કહેવાય છે. 
- રોજ સવાર સાંજ જમતા પહેલા પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ.  આ શુભ કામ અનેક પરેશાનીઓથી બચાવી શકે છે. 
- વાસ્તુ મુજબ રસોડાની સામે બાથરૂમ ન હોવુ જોઈએ. જો આવુ છે તો બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો અને તેના પર એક પડદો પણ જરૂર લગાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ફિનટેક નહીં, આ 5 ક્ષેત્રો સામાન્ય માણસને કરોડપતિ બનાવશે; ઓછી મૂડીમાં મોટા વ્યવસાયો બનાવવાની તક!

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

ઈરાનમાં હાલની પરિસ્થિતિ શું છે? Saedinia, કોણ છે, જેની ધરપકડથી રમખાણો અને વિરોધ પ્રદર્શનોનો અંત આવ્યો?

દિલ્હીમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર, યુપી અને બિહારમાં ચેતવણી જારી; દેશભરની પરિસ્થિતિ વિશે જાણો

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે

આગળનો લેખ
Show comments