Webdunia - Bharat's app for daily news and videos

Install App

Money Plant In Vastu મની પ્લાંટ લગાવી રહ્યા છો તો ન કરવી આ ભૂલોં થઈ શકે છે નુકશાન

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (08:12 IST)
મની પ્લાંટનુ  વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે. એવી માન્યતા છે કે મની પ્લાંટ ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને ધન સંપત્તિમાં વધારો થાય છે. ઘણા લોકો સકારાત્મક ઉર્જાને વધારવા માટે ઑફિસમાં તેમની ટેવલ પર પણ મની પ્લાંટને લગાવીને રાખે છે. પણ મની પ્લાંટને લગાવતા સમયે હમેશા લોકો વાસ્તુના નિયમને નજરઅંદાજ કરે છે જેનાથી મની પ્લાંટ લગાવવાના ફાયદો મળતો નથી. પણ નુકશાન જ હોય છે. આવો જાણી મની પ્લાંટને લગાવતા સમયે કઈ-કઈ વાતની કાળજી રાખવી જોઈએ. 
 
મની પ્લાંટ લગાવતા સમયે આ વાતની રાખવી કાળજી 
- મની પ્લાંટને હમેશા યોગ્ય દિશામાં જ લગાવવો જોઈએ. તેને ક્યારે પણ ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવવો. કહેવાય છે કે આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી આર્થિક નુકશાન હોય છે. સાથે જ ઘરમાં નકારાત્મકતા પણ વધે છે. મનીપ્લાંટને હમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. ભગવાન ગણેશ એવા દેવતા છે જે આ દિશામાં નિવાસ કરે છે અને કલ્યાણ અને સમૃદ્ધિનો પ્રતિનિધિત્વ કરે છે. 
 
- તમે જાણતા જ હશો કે મની પ્લાંટ ઝડપથી વધતો છોડ છે. તેથી આ વાતની કાળજી રાખવી કે આ છોડની ડાળીઓ જમીનને ન અડે. તેની ડાળીઓને એક દોરીથી બાંધીને ઉપરની તરફ કરવી. વાસ્તુ મુજબ વધતી ડાળીઓ વૃદ્ધિ અને સમૃદ્ધિનો પ્રતીક છે. મની પ્લાંટને દેવી લક્ષ્મીનુ એક રૂપ ગણાય છે અને આ જ કારણ છે કે તેને જમીનને અડવા ન દેવુ જોઈએ.  
 
- વાસ્તુ મુજબ મની પ્લાંટ સૂકવો ન જોઈએ. હકીકતમાં સૂકો મની પ્લાંટ દુર્ભાગ્યનો પ્રતીક છે. આ તમારા ઘરની આર્થિક સ્થિતિને પ્રભાવિત કરે છે. તેનાથી બચવા માટે મની પ્લાટને નિયમિત રૂપથી પાણી આપતા રહેવો.. જો પાન સૂકવા લાગે તો તેને કાપીને જુદા કરવા. 
 
- મનીપ્લાંટને હમેશા ઘરની અંદર રાખવો. આ છોડને વધારે તડકાની જરૂર નહી હોય છે. તેથી તેને ઘરની અંદર લગાવવો જોઈએ. વાસ્તુ મુજબ મની પ્લાંટને ઘરની બહાર લગાવવો શુભ નથી. આ બહારના મૌસમમાં સરળતાથી સૂકાય  જાય છે અને વધતો નથી. છોડનો રોકાયેલો વિકાસ અશુભ હોય છે. આ આથિક પરેશાનીનુ કારણ બને છે. 
 
-વાસ્તુ મુજબ મની પ્લાંટ ક્યારે પણ બીજાને આપવો ન જોઈએ. એવુ કહેવાય છે કે આ શુક્ર ગ્રહને ક્રોધિત કરે છે. શુક્ર સમૃદ્ધિ અને ખુશહાલીનુ પ્રતીક છે. આવુ કરવાથી હાનિ થાય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments