Publish Date: Sat, 02 Jul 2022 (00:19 IST)
Updated Date: Fri, 01 Jul 2022 (15:29 IST)
Money Plant Vastu Tips: ઘરમાં ઝાડ- છોડ જ્યાં જોવામાં સુંદર લાગે છે તેમજ મનની શાંતિ અને ઘરને સકારાત્મકતા આપે છે વાસ્તુના મુજબ દરેક છોડ ઘરમાં કે ઘરની બહાર નથી લગાવી શકાય કેટલાક છોડ ઘરની અંદર લગાવવુ શુભ હોય છે. તો કેટલાક ઘરની બહાર એવા જ મની પ્લાંટને લઈને પણ વાસ્તુના કેટલાક ઉપાય અને નિયમ જણાવ્યા છે. જો તેને યોગ્ય દિશામા યોગ્ય જગ્યા પર રાખીએ તો આ ખાસ રૂપથી લાભદાયી સિદ્ધ હિય છે. વાસ્તુ જાણકારોએ મની પ્લાંટને લઈને એક ખાસ ઉઓઆય વિશે જણાવ્યુ છે જો તેને ધ્યાનથી કરાય તો આ ધનની વરસાદ કરાવવા લાગે છે.
મની પ્લાંટના છોડને લગાવવાના નિયમ
- મની પ્લાંટના છોડને હમેશા યોગ્ય દિશામાં જ લગાવવુ જોઈ. તેને હમેશા દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. ખોટી દિશામાં લગાવવાથી આ ઉલ્ટો પરિણામ આપવા લાગે છે.
- જો મની પ્લાંટનો છોડ સાફ જગ્યા પર લગાવીએ તો ઘરમાં બરકત હોય છે.
- વાસ્તુ જાણકારોનો કહેવુ છે કે શુક્રવારે મનીપ્લાંટમાં લાલ રંગનો રિબન કે દોરો બાંધવુ શુભ હોય છે. લાલ રંગને યશ અને ઉન્નતિનો પ્રતીક ગણાયો છે તેથી તેના પર લાલ રિબન કે દોરા બાંધી શકાય છે.
આ ઉપાય કરવાથી મની પ્લાંટનો છોડ તીવ્રતાથી ઉન્નતિ કરે છે. મનીપ્લાંટને લઈને માન્યતા છે કે જેમ જેમ પ્લાંટ વધરે તેમ તેમજ વ્યક્તિની આવકમાં પણ વધારો થશે.