Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન શ્રીરામે પણ પતંગ ઉડાવ્યો હતો... પતંગ ઉડાવવાની પરંપરા આટલી જૂની છે

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:08 IST)
મકર સંક્રાંતિના દિવસે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગમાં પતંગ ઉડાવવાની પરંપરા છે.. દેશભરમાં આ અવસરે પતંગ ઉડાવીને આનંદ મેળવવાની પરંપરા રહી છે. મકર સંક્રાન્તિ ઉપર પતંગ ઉડાવવાની પરંપરા ક્યારે અસ્તિત્વમાં આવી તેનો કોઈ ઇતિહાસ નથી. પરંતુ શ્રી રામચરિત માનસમાં વર્ણવેલા એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રીરામે પતંગ ઉડાવ્યો હતો. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, પતંગ ઉડાવવાની પરંપરા કેટલી જૂની છે. 
રામ ઈક દિન ચંગ ઉડાઈ | 
ઈન્દ્રલોક મેં પહોંચી જાઈ || 
 
તમિલની તન્દ્રનાનરામાયણમાં પણ આ ઘટનનઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રામાયણ મુજબ મકર સંક્રાંતિ જ એ પાવન દિવસ હતો જ્યારે ભગવાન શ્રી રામ અને હનુમાનજીની મિત્રતા થઈ. મકર સંક્રાંતિના દિવસે રામ જ્યારે પતંગ ઉડાવી તો પતંગ ઈન્દ્રલોકમાં પહોંચી ગઈ. 
 
પતંગને જોઈને ઈન્દ્રના પુત્ર જયંતીની પત્ની વિચારવા લાગી કે જેની પતંગ આટલી સુંદર છે તે પોતે કેટલો સુંદર હશે. ભગવાન રામને જોવાની ઈચ્છાને કારણે જયંતીની પત્નીએ પતંગની ડોર તોડીને પતંગ પોતાની પાસે રાખી લીધી. 
 
ભગવાન રામે હનુમાનજીને પતંગ શોધીને લાવવાનુ કહ્યુ. હનુમાનજી ઈન્દ્રલોક પહોંચી ગયા. જયંતની પત્નીએ કહ્યુ કે જ્યા સુધી તેઓ રામને જોશે નહી પતંગ પરત નહી આપે. હનુમાનજી સંદેશ લઈને રામ પાસે પહોંચી ગયા. ભગવાન રામે કહ્યુ કે વનવાસ દરમિયાન જયંતની પત્નીને તેઓ દર્શન આપશે.  હનુમાનજી રામનો સંદેશ લઈને જયંતની પત્ની પાસે પહોંચ્યા.  રામનુ આશ્વાસન મેળવીને જયંતની પત્નીએ પતંગ પરત આપી દીધી. 
 
તિન સબ સુનત તુરંત હી, દીન્હી દોડ પતંગ 
ખેંચ લડ પ્રભુ બેગ હી.. ખેલત બાલક સંગ... 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments