suvichar

UMID Card- રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, UMID હેલ્થ કાર્ડ યોજના હેઠળ મફત સારવાર મળશે

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (18:47 IST)
ભારતીય રેલવેએ હવે હેલ્થ કાર્ડમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવી UMID હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. યુનિક મેડિકલ આઇડેન્ટિફિકેશન (UMID) હેલ્થ કાર્ડ તમામ રેલવે કર્મચારીઓ, પેન્શનરો અને કર્મચારીઓના આશ્રિતોને લાગુ પડશે.
 
UMID કાર્ડ ધારકો માટે સારવાર સંપૂર્ણપણે મફત છે. ખાસ વાત એ છે કે 12.5 લાખ રેલવે કર્મચારીઓ, 15 લાખ પેન્શનરો અને 10 લાખ કર્મચારીઓના આશ્રિતોને આ યોજનાનો લાભ મળશે.
 
પ્રારંભિક તબક્કામાં દેશની રેલ્વે પેનલ હોસ્પિટલો અને AIIMS હોસ્પિટલો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. UMID કાર્ડ ધારકોને આ હોસ્પિટલોમાં મફત સારવાર મળશે. હાલની આરોગ્ય વીમા સુવિધામાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે હવે નવી સિસ્ટમ લાગુ કરી  છે
 
UMID કાર્ડ બનાવવા માટે રેલવે કર્મચારીઓએ 100 રૂપિયા ચૂકવવા પડશે. એકવાર ચુકવણી થઈ જાય અને UMID હેલ્થ કાર્ડ બની જાય, પછી ટાઈઅપ હોસ્પિટલોમાં સારવાર મફત થશે. આ કાર્ડનો ઉપયોગ ઈમરજન્સી સારવાર માટે પણ થઈ શકે છે. સારવાર કરાવતી વખતે આ કાર્ડ નંબર હોવો પૂરતો છે. કાર્ડ હાથમાં હોવું જરૂરી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments