Webdunia - Bharat's app for daily news and videos

Install App

Totke - જો ખાલી છે તમારુ ખિસ્સુ... તો આ ઉપાય અપાવશે ધન

લી છે તમારુ ખિસ્સુ
Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:01 IST)
ચોખાનો ઉપયોગ ભોજન ઉપરાંત પૂજા-પાઠમાં પણ કરવામાં આવે છે. તેને એટલુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે પૂજાના સમયે દરેક કાર્યમાં ભલે એ સૂર્યને અર્ધ્ય આપવાનુ હોય કે માથા પર તિલક ધારણ કરવાનુ હોય દરેક કાર્યમાં ચોખા મતલબ અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
પૂજા પાઠ ઉપરાંત તેનો ઉપયોગ ટોના-ટોટકામાં પણ કરવામાં આવે છે.  મોટાભાગે જોવામાં આવ્યુ છે કે લોકો દિવાળીના અવસર પર એક વાડકીમાં ચોખામાં થોડા પૈસા મુકીને પંડિતને દાન કરે છે. 
 
આ ઉપરાંત ચોખાનો એક એવો શાસ્ત્રીય ઉપાય છે જેની મદદથી તમે તમારા ધનમાં બરકત મેળવી શકો છો. 
 
તમારી આવક ઓછી થઈ રહી છે કે પછી ઘરમાં પૈસા આવ્યા પછી હાથમાં રોકાતા નથી તો આવી સમસ્યાઓને હલ કરવા માટે પીળા ચોખાનો શાસ્ત્રીય ઉપાય તમારી મદદ કરશે.  આવો જાણીએ આ માટે તમારે શુ કરવાનુ રહેશે. 
 
અગિયારસ ના દિવસે કે શુક્રવારે સવાર સવારે જલ્દી  ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને મા લક્ષ્મીની મૂર્તિ સામે આસન બિછાવો. 
 
ત્યારબાદ 21 પીળા ચોખાના દાણાને લાલ રંગના રેશમી કપડામાં બાંધીને એક પોટલી બનાવીને લક્ષ્મી મા સામે મુકી દો.  
 
આ વાતનુ રાખો ધ્યાન 
 
ત્યારબાદ વિધિ વિધાન પૂર્વક લક્ષ્મીનુ પૂજન કરો. પૂજન પછી આ પોટલીને તમારા ઘરની તિજોરી કે પર્સમાં મુકી દો. અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. 
 
ધ્યાન રહે કે 21 ના 21 ચોખાના દાણા તૂટેલા ન હોય. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે પીળા ચોખા ક્યાથી લાવવામાં આવે. 
 
આ રીતે બનાવો પીળા ચોખા 
 
તો એ માટે તમારે ફક્ત એટલુ જ કરવાનુ છે કે 21 ચોખાના દાણા પર સાધારણ પાણી છાંટો. જેથી તે પાણીમાં થોડા પલળી જાય. પછી હળદરને એ ચોખાની ઉપર લગાવી દો. 
 
પોટલીમાં બાંધો 
 
હવે તેને સુકાઈ જવા દો. ત્યારબાદ જ્યારે તે સૂકાય જાય તો તે પોટલીમાં બાંધી લો. 
 
માન્યતા છે કે પીળા ચોખાનો આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધનની હાનિ થતી નથી અને આર્થિક સંકટ સાથે સંકળાયેલ કોઈ કષ્ટ થતુ નથી.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

આગળનો લેખ
Show comments