Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને રાહત, કોર્ટે 7 વર્ષની સજા પર સ્ટે આપ્યો

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2023 (16:22 IST)
Relief to Vipul Chaudhary in Sagardan scam case, court stayed 7-year sentence
સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને રાહત મળી છે કોર્ટે તેને સ્ટે આપ્યો છે. આ સિવાય 15 આરોપીની સજા પર સ્ટે આપ્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે 50 હજારના બોન્ડ પર જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મોટી રાહત મળતા 7 વર્ષની સજા ઉપર સેસન્સ કોર્ટે સ્ટે આપ્યો છે.

વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓની સજા ઉપર સ્ટે આપવામાં આવ્યો છે. તમામ આરોપીઓને 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીનમુક્ત કરવાનો હુકમ કર્યો છે. મહેસાણા સેસન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં કુલ 22 આરોપીઓ છે જે પૈકી ત્રણના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા હતા અને વિપુલ ચૌધરીને કોર્ટે સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments