Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂવાનગરી અમદાવાદમાં સદનસીબે એક યુવકનો જીવ બચ્યો, તંત્રની બેદરકારીને કારણે યુવક ઊંડા ભૂવામાં પડ્યો

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2023 (13:44 IST)
Due to the negligence of the system, the young man fell into deep hollowed out
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે આજે સદનસીબે યુવકનો જીવ બચી ગયો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં સાંજના સમયે રસ્તામાં ભૂવો પડ્યો હતો. ભૂવાને ચારે તરફ બેરીકેટ કરવામાં આવ્યો નહોતો. તે દરમિયાન એક યુવક ત્યાંથી પસાર થતા ભૂવામાં પડ્યો હતો. યુવક ભૂવામાં પડતાની સાથે જ લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી યુવકને દોરડા અને સીડી વડે સહી સલામત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. ભૂવામાં પડવાના કારણે યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી.

ઓઢવ વિસ્તારમાં રબારી વસાહત પાસે રણછોડરાયજીનું મંદિર છે. ત્યાં મુખ્ય રોડ ઉપર ભૂવો પડ્યો હતો. ભૂવાની આસપાસ ચારે તરફ તાત્કાલિક ધોરણે બેરીકેટ લગાવવાની જરૂરિયાત હતી જેના કારણે કોઈ વ્યક્તિ કે વાહન સાથે અંદર પડે નહીં પરંતુ સાંજના સમયે જ 23 વર્ષીય યુવક ત્યાંથી પસાર થયો હતો અને તે પોતે સીધો ભૂવામાં ખાબક્યો હતો. જેના કારણે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જેથી ફાયર સ્ટેશનથી એક ટીમ રવાના થઈ હતી. તેઓએ દોરડા અને સીડી વડે યુવકને સહીસલામત બહાર કાઢી લીધો હતો. યુવકને માથાના અને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments