Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિધાનસભા પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસે જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2019 (11:22 IST)
લુણાવડા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકે ગાંગટામાં મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પણ મતદાન કર્યું છે. આ દરમિયાન જીજ્ઞેશ સેવકે પ્રતિક્રિયા આપી છે કે, દરેક ગામમાંથી લોકોનો આવકાર મળ્યો. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે કહ્યું કે આ બેઠક પર કોંગ્રેસ જીતતી આવી છે, આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે.સાંસદ પરબત પટેલે મતદાન કર્યા બાદ કોંગ્રેસ પર આક્ષેપ કર્યાં હતા. પરબત પટેલે કહ્યું કે શિવનગરના લોકોમાં કોંગ્રેસે ભયનો માહોલ ઉભો કર્યો છે. કોંગ્રેસે અસામાજીક તત્વોને ઉતાર્યાં છે. ભાજપના નેતા શંકર ચૌધરીએ રાધનપુરમાં મતદાન કર્યું.  શંકર ચૌધરીએ વડનગર ગામમાં મતદાન કર્યું.  આ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપી હતી કે, રાધનપુરમાં વિકાસનો વિજય થશે. નર્મદાના પાણી મુદ્દે ચૂંટણી યોજાઈ રહી છે.અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પટેલે કહ્યું કે, આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે. હું સ્થાનિક પ્રશ્નો મુદે કામ કરીશ. અમરાઈવાડીમાં વરસાદી પાણીની પ્રશ્નો મહત્વનો મુદો છે. હું આ મુદે કામ કરીશ.રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઇએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સાથે જ તેઓએ અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહ્યું કે રાધનપુરના મતદાતાઓ કોંગ્રેસને જીતાડશે. પક્ષપલટે કરનારને મતદાતાઓ નથી સ્વીકારતા. રાધનપુરે અગાઉ 2 પક્ષપલટુને સબક શીખવાડ્યો છે.થરાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે મતદાન કર્યું છે. વજેગઢ ગામમાં ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યુ. આ દરમિયાન તેમણે પ્રતિક્રિયા આપી છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ચિત છે. થરાદને જિલ્લા બનાવવા માટે આવાજ ઉઠાવ્યો છે. આ સાથે જ તેમણે આ ચૂંટણીમાં જીત મેળવીને વિકાસના કામ કરવા માટે પણ જણાવ્યું છે.બાયડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલે મતદાન કર્યું છે. જશુભાઈ પટેલે હેલોદરા મતદાન મથક પર મતદાન કર્યું. મતદાન બાદ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments