Webdunia - Bharat's app for daily news and videos

Install App

કડકડતી ઠંડીમાં શિક્ષકોનો વિદ્યાર્થીઓ પર અમાનુષી અત્યાચાર

કડકડતી ઠંડીમાં શિક્ષકોનો વિદ્યાર્થીઓ પર અમાનુષી અત્યાચાર
Webdunia
ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (12:45 IST)
વલસાડના સોનવાડા આશ્રમશાળામાં ભણતા આંબાજંગલના ૩૭ વિદ્યાર્થીને રાત્રે રૂમમાં પૂર્યા બાદ બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું. દરમિયાન એક વિદ્યાર્થીને રાત્રે કુદરતી હાજત થઈ ગઈ હતી. સવારે આચાર્ય રૂમમાં કુદરતી હાજત થયેલી જોઈ જતાં ઉશ્કેરાઈ ગયા હતા અને વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આચાર્ય અને શિક્ષક આટલેથી અટક્યા નહોતા પરંતુ, તમામ ૩૭ બાળકો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા કડકડતી ઠંડીમાં પાઈપથી પાણીનો બેફામ મારો ચલાવ્યો હતો. આચાર્ય અને શિક્ષકના કૃત્યથી વિદ્યાર્થીઓ પારેવાની જેમ ફફડી ઊઠયા હતા અને રડા-રડ કરી મૂકી હતી. ઘટનાની જાણ વાલીઓને થતાં ભારે હોબાળો મચી ગયો હતો અને આચાર્ય તેમજ શિક્ષકને કડકમાં કડક સજા કરવા માંગણી કરવામાં આવી હતી. સોનવાડા આશ્રમશાળામાં રહીને અભ્યાસ કરતા ૩૭ વિદ્યાર્થીઓ એક વિશાળ ખંડમાં રહે છે. આ ખંડને  આચાર્ય નરેશ સોમાભાઇ પટેલની સૂચનાથી શિક્ષક બાલકૃષ્ણ દેવજી ટંડેલે બહારથી તાળુ મારી દીધુ હતુ. રાત્રી દરમિયાન ધો.૬ના એક વિદ્યાર્થીને કુદરતી હાજત લાગી હતી. પરંતુ રૂમ બહારથી બંધ હોય, રૂમમાં જ હાજત થઇ ગઇ હતી. બીજે દિવસે સવારે શિક્ષકે રૂમનું બારણું ખોલતા, કુદરતી હાજત જોઇને પિત્તો ગુમાવ્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા આચાર્ય તથા શિક્ષકે કડકડતી ઠંડીમાં તમામ બાળકોને લાઇનમાં ઉભા રાખી શરીર પર ઠંડુ પાણી છંટાવ્યા બાદ લાકડીથી માર માર્યો હતો. આચાર્ય-શિક્ષકને આટલેથી સંતોષ ન થતાં તમામ વિદ્યાર્થીઓને મરઘા ચાલ ચલાવી હતી. જે દરમ્યાન કેટલાક વિદ્યાર્થીઓને ચક્કર આવતા જમીન પર પટકાયા હતાં. જેને કારણે બે દિવસ સુધી પથારીમાંથી ઉઠી પણ શક્યા નહતાં. આંબોસી ગામના ભરતભાઇ માહલા તેમના દિકરાને આશ્રમશાળામાં આજે મૂકવા જતા હતા ત્યારે તેઓને ઉપરોક્ત ઘટનાની જાણ થઈ હતી.આચાર્ય અને શિક્ષકના અમાનુષી કૃત્યથી પંથકમાં ફીટકારની લાગણી વરસી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments