Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પેટાચૂંટણીઃ સૌથી વધુ થરાદમાં 34 અને સૌથી ઓછું અમરાઈવાડીમાં 19 ટકા

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2019 (15:13 IST)
ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે.બપોરે 2 વાગ્યા સુધી થરાદ 34.33 ટકા, રાધનપુર 33.86 ટકા, ખેરાલુ 19.83 ટકા, બાયડ 31.85 ટકા, અમરાઈવાડી 19.00 ટકા, અને લુણાવાડા 26.63 ટકા મતદાન થયું છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના જશુ પટેલે મતદાન કર્યું છે. સાંસદ પરબત પટેલે થરાદમાં મતદાન કર્યું છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોરે મતદાન કર્યું છે. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યું છે. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું છે. બાયડના લીંબ-2માં ઇવીએમ મશીન ખોરવાતા મતદાન પ્રક્રિયા રોકવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર અને રધુ દેસાઈ વોટિંગ કરી શક્યા નથી કારણ કે બંને અમદાવાદ જિલ્લાના મતદારો છે. ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ બેઠકની સોમવારે યોજાનારી પેટાચૂંટણીમાં 9.28 લાખ મતદારો ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત 28 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. મતદારોમાં 4.44 લાખ મહિલા મતદારો છે. ચૂંટણીપંચ દ્વારા 1171 મતદાન મથકો ઊભાં કરાયાં છે, 8100 કર્મચારીઓને ફરજ પર તૈનાત કરાયાં છે. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments