Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10મીથી 3 દિવસ અમદાવાદમાં, સાણંદ-બોપલમાં લોકાર્પણ કાર્યક્રમ બાદ રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લેશે

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (09:01 IST)
અમદાવાદમાં શહેરમાં કોરોનાના કારણે ગત વર્ષે ન નીકળી શકેલી રથયાત્રા આ વર્ષે નીકળશે કે કેમ તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 10મી જુલાઈએ અમદાવાદ આવશે. 11મી તારીખે તેઓ શહેરમાં કેટલાક લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપશે. અષાઢી બીજના દિવસે દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પેહલાની મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10મી જુલાઈએ સાંજે અમદાવાદ પહોંચશે. આ બાદ 11મી જુલાઈએ તેઓ સાણંદ APMC ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં આપશે હાજરી. સાથે જ તેઓ સાઉથ બોપલમાં સિવિક સેન્ટરનું કરશે લોકાર્પણ. આ બાદ 12મી જુલાઈએ ગૃહમંત્રી સવારે જગન્નાથજી મંદિરમાં રથયાત્રા પહેલાની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. 
 
નોંધનીય છે કે આ પહેલા 20મી જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે હતા. તેમણે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજવા મામલે જમાલપુર મંદિર અને પોલીસ દ્વારા સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રથયાત્રામાં પોલીસ તરફથી દર વર્ષે જે રીતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે તેના કરતાં અલગ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રાના રૂટ પર અંદર આવવાના રસ્તાઓને લોક કરવામાં આવશે. રૂટ પર આવવાના રસ્તાઓ પર વધુ બંદોબસ્ત રાખવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments