Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોરોના અપડેટ: આજે કોરોનાના કારણે એકપણ મોત નહી, નોંધાયા માત્ર આટલા કેસ

ગુજરાત કોરોના અપડેટ: આજે કોરોનાના કારણે એકપણ મોત નહી, નોંધાયા માત્ર આટલા કેસ
, બુધવાર, 7 જુલાઈ 2021 (22:58 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 65 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 289 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,11,988 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.54 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 1969 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 10 લોકો વેન્ટિલેટર પર છે. 21959 લોકો સ્ટેબલ છે. 8,11,988 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં આજે એકપણ મોત નિપજ્યું નથી. 10,072 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1દર્દીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,99,680 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના વધુ ત્રણ સાંસદોને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી