Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 62થી પણ ઓછા કેસ, 2ના મોત

ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં નોંધાયા 62થી પણ ઓછા કેસ, 2ના મોત
, સોમવાર, 5 જુલાઈ 2021 (21:51 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 70ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 194 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,11,491 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 98.49 ટકાએ પહોંચ્યો હતો. 
 
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 2333 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 09 લોકો વેન્ટિલેટર પર છે. 2324 લોકો સ્ટેબલ છે. 8,11,491 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. આજે રાજ્યમાં કુલ 02 લોકોનાં મોત નિપજ્યાં છે. 10,071 લોકોનાં કુલ મોત નિપજ્યાં છે. 
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 1, અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 2 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,99,680 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રવાહ પલટાયો: ફૂલ બજારોમાં માંગ વધતા ખેડૂતો કાશ્મીરીની સાથે દેશી ગુલાબની ખેતી તરફ વળ્યા