Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી

Webdunia
ગુરુવાર, 22 જૂન 2023 (09:25 IST)
IAS officer
છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલી અંગેની ચર્ચાઓ ચાલી રહી હતી જેમાં હવે સિનિયર કક્ષાના 7 અધિકારીઓની બદલી સામે આવી છે. રાજ્યમાં 7143 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જે 7 અધિકારીઓની બદલી કરવામાં આવે છે, તેમાં એમ.કે.દાસ, મોના ખાંધાર, મનિષ ભારદ્વાજ, કમલ દાયાણી, રાજ કુમાર બેનિવાલ અને આરતી કુંવરનો સમાવેશ થાય છે.   
 
આ 7 IAS અધિકારીઓની બદલી
 
1 કમલ દાયાણીની એડીશનલ ચીફ સેક્રેટરી GAD તરીકે બદલી કરવામાં આવી છે. 
2. મનોજ કુમાર દાસની સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ તેઓને આગામી આદેશો સુધી સરકાર, બંદરો અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવના પદનો વધારાનો હવાલો પણ સંભાળશે. 
3. મોના કે. ખંધારની સરકાર, પંચાયતો, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ મનોજ . કુમાર દાસ, IAS ને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ મોના કે. ખંધાર આગળના આદેશો સુધી મહેસૂલ નિરીક્ષણ કમિશનર અને સરકારના મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ભૂતપૂર્વ અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
4. અશ્વિની કુમારને સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલયના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  તેમજ આગામી આદેશો સુધી સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
5. અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને CEO GSDMAનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે  આરતી કંવરની ફાઇનાન્સ CEO તરીકે બદલી કરાઈ છે. 
6 લાંબા સમયથી દિલ્લીના રેસિડેન્ટ કમિશેનર આરતી કંવર ગુજરાત પરત ફરશે, જેમને ફાઈનાન્સ વિભાગ ના સચિવ તરીકે બદલી જ્યારે રેસિડેન્ટ કમિશ્નર તરીકે વધારાનો ચાર્જ સંભાળશે
7. રાજકુમાર બેનિવાલની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન-CEO તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ  કમિશ્નર મ્યુનિસિપાલિટીઝ તરીકે રાજકુમાર બેનિવાલ પાસે રહેશે વધારાનો ચાર્જ સોંપાયો છે. 
 
રાજ્યના પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. રાજ્યમાં  આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. રથયાત્રા બાદ બદલીની શક્યતાઓ હતી ત્યારે હવે એક સપ્તાહમાં જ IPS અધિકારીઓની બદલી થઈ શકે છે.
 
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર  સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે.  ત્યારે હવે ટૂંક સમયમાં અમદાવાદ શહેરને નવા કમિશનર મળે તેવી શક્યતા છે.  અમદાવાદ સહિતના મહાનગરો તેમજ રાજ્યની અલગ-અલગ રેન્જના આઈજીની બદલી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અનેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિને ધ્યાનમાં રાખી IPS અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

આગળનો લેખ
Show comments