Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી ચેન્નઈ માટે વિશેષ ટ્રેનનો પ્રારંભ

આજથી પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ થી ચેન્નઈ માટે વિશેષ ટ્રેનનો પ્રારંભ
Webdunia
બુધવાર, 4 જુલાઈ 2018 (15:57 IST)
અમદાવાદ, પ્રવાસીઓની વધુ સારી સુવિધા અને ધસારો ઓછો કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી ચેન્નઈ સેન્ટ્રલ માટે એક વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
ટ્રેન નં. 06052/06051 અમદાવાદ-ચેન્નઈ સેન્ટ્રલ સાપ્તાહિક વિશેષ ટ્રેન (8 સેવાઓ) 
ટ્રેન નં. 06052 અમદાવાદ ચેન્નઈ સેન્ટ્રલ સાપ્તાહિક વિશેષ ટ્રેન   અમદાવાદથી દર સોમવારે 09.40 કલાકે પ્રસ્થાન કરશે. અને બીજા દિવસે 17.10 કલાકે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 9 જુલાઇથી 30 જુલાઇ 2018 સુધી દોડશે.
તે મુજબ જ પરતમાં ટ્રેન નં. 06051 ચેન્નઈ સેન્ટ્રલ-અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચેન્નઈ થી દર શનિવારે 20.00 કલાકે પ્રસ્થાન કરશે અને સોમવારે 05.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 7 જુલાઇથી 28 જુલાઇ સુધી દોડશે. 
આ ટ્રેનમાં એસી 3 ટીયર, સ્લીપર તથા સેકન્ડ ક્લાસ સામાન્ય કોચ રહેશે.
આ ટ્રેન પ્રવાસ દરમિયાન નડીયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, બોઇસર, વસઇ રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌંડ, રાયચૂર, મંત્રાલયમ રોડ, અડોની, ગુંતકલ, ગુટી, તડીપાત્રી, યેરાગુંટલા, કડપ્પા, રાજમપેટા, કોડુરુ, રેનીગુંટા અને અરાકોણમ સ્ટેશનોં પર રોકાશે, જ્યારે ટ્રેન નં. 06052 ને પેરામ્બૂર સ્ટેશન પર વધારાનો હોલ્ટ આપવામાં આવશે.

ટ્રેન નં. 06052 નું બુકીંગ 4 જુલાઇ 2018ના રોજથી તમામ પ્રવાસી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments