Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજુલાના ચારનાળા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત

Webdunia
શનિવાર, 24 જુલાઈ 2021 (18:02 IST)
અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.  બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનાં મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.. મૃતક લોકો રાજુલાના ચોત્રા ગામના રહીશો છે. પંથકમાં અકસ્માતની જાણ થતા પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પર પહોંચ્યા હતા અને પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી. પોલીસે પણ સમગ્ર અકસ્માતની તપાસ હાથ ધરી છે. 
 
બાઇકચાલક રાજુલાથી તેમના ઘરે ચોત્રા ગામ જતો હતો. બાઇકચાલક પુત્ર અને માતા-પિતા બાઇકસવાર જઇ રહ્યાં હતાં. એ દરમિયાન અચાનક ટ્રકે પાછળથી તેમને અડફેટે લેતાં ત્રણેય વ્યક્તિનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત થયાં હતાં.
 
પોલીસે મૃતક પિતા જગુભાઈ વિનુભાઈ વાઘેલા (ઉંમર 28) માતા જયશ્રીબેન જગુભાઈ (ઉંમર 26) અને પુત્ર અલ્પેશ જગુભાઈ (ઉંમર 2) એમ ત્રણે મૃતકોના મૃતદેહો 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને પી.એમ. માટે કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં મૃતકોના સંબંધીઓ પણ બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments