Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના હીરા ઉદ્યોગના એક લાખથી વધુ કારીગરો બેકાર થવાના નિવેદનથી હોબાળો

સુરતના હીરા ઉદ્યોગના એક લાખથી વધુ કારીગરો બેકાર થવાના નિવેદનથી હોબાળો
Webdunia
શનિવાર, 27 ઑક્ટોબર 2018 (12:40 IST)
ડયૂટીમાં વધારો, ધંધો કરવામાં સરળતાનો અભાવ અને નાણાંભીડને કારણે આગામી છ મહિનામાં હીરા ઉદ્યોગમાં એક લાખ કારીગરો નોકરી ગુમાવશે, એવાં જીજેઈપીસીના ઉપપ્રમુખ કોલીન શાહના અખબારમાં આવેલા નિવેદનથી હીરા ઉદ્યોગમાં હોબાળો મચ્યો છે. જો કે બીજી તરફ કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના ઈમ્પોર્ટ ડયૂટીમાં ૨.૫ ટકાના વધારાથી ડાયમંડ મેન્યુફેક્ચરીંગની એવી કોઈ અસર થશે નહિં એમ સુરત ડાયમંડ એસો.એ જણાવ્યું છે.

કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના ઈમ્પોર્ટ ઉપરની ડયૂટી પહેલાં જે ૫ ટકા હતી, તે તા. ૨૬ સપ્ટેમ્બરથી ૭.૫ ટકા કરવામાં આવી છે અને તેને કારણે કટ એન્ડ પોલીશ્ડના ઈમ્પોર્ટ વગર ૩૧ ટકાનો ઘટાડો આવ્યો હોવાનું શાહે જણાવ્યું હતું. ઈમ્પોર્ટ એક વર્ષ પહેલા રૂા. ૭૭૫૯ કરોડ હતું, તે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં રૂા. ૫૨૮૯ કરોડ થયાનું જણાવાયું છે.

ડાયમંડ એસો.ના પ્રમુખ બાબુ ગુજરાતીએ જણાવ્યું કે, રફ હીરાની આયાત સામે કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડની આયાત દસેક ટકા (૨૦૧૬-૧૭) જેટલી છે, કટ એન્ડ પોલીશ્ડની જે ઈમ્પોર્ટ કરવામાં આવે છે, તે મોટાંભાગે બ્રોકન ડાયમંડ (દાગીનામાં જડાયેલાં હીરા) માટેનાં હોય છે. આ ઉપરાંત બેંક ફેસીલીટી મેળવવા માટે પણ કટ એન્ડ પોલીશ્ડની આયાત કરવામાં આવતી હોય છે.

ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારાને કારણે કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડની આયાતમાં પ્રોડક્ટ ૨.૫ ટકા જેટલી મોંઘી બની હોવાથી, ઘટાડો આવ્યો છે, એમ જણાવવામાં આવ્યું છે તે છતાં બ્રોકન ડાયમંડની આયાત રફની આયાત સામે ખુબ ઓછી હોવાથી તેની કોઈ અસર થશે નહિ કે કારીગરોની રોજગારી ઉપર તેની કોઈ અસર દેખીતી રીતે નહિ આવે એમ ડાયમંડ એસો.નું કહેવું છે.
જીજેઈપીસીના ઉપપ્રમુખ કોલીન શાહે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લાં એક વર્ષમાં ડોલરની સામે રૂપિયો જે પ્રકારે તૂટયો છે, ઈમ્પોર્ટ કટ એન્ડ પોલીશ્ડ ઉપરની ડયૂટી વધી છે અને બેકિંગ ક્રાઈસીસને કારણે જે સ્થિતિ ઉભી થઈ છે, તેની અસર હીરા ઉદ્યોગની રોજગારી ઉપર આવવાની ભીતિ વ્યક્ત કરી છે.
ડોલરની સામે રૂપિયો આશરે ૧૦ ટકા જેટલો તૂટયો છે અને રફ એન્ડ કટ-પોલીશ્ડની આયાતમાં ડોલર ટર્મમાં ૧૦ ટકાનો ઘટાડો આવી ગયો છે. આંકડાઓ દર્શાવે છે કે, આયાત ઘટી છે અને ઈમ્પોર્ટ ડયૂટીમાં ૨.૫ ટકાના વધારાની અસર પણ ઉદ્યોગ ઉપર આવી છે.
હીરાઉદ્યોગનું જે ચિત્ર છે તે આંકડાઓ સાથે જણાવ્યું છે. જો કે, અમારો હેતુ, સરકાર આ ઉદ્યોગને બચાવવા માટે તાકીદે પગલાંઓ લે એવું અમે ઈચ્છીએ છીએ. મેન્યુફેક્ચરીંગ, જીએસટીના રિફંડ અને ધંધો કરવામાં સરળતા થાય એવું અમે ઈચ્છીએ છીએ. હીરા ઉદ્યોગમાં અંદાજે દસેક લાખ કારીગરો, દેશભરના સંકળાયેલાં છે અને તેમાંથી ૧૦ ટકાને આની અસર પડશે, એવી આશંકા બતાવી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીં અને લસણથી બનાવો સ્વાદિષ્ટ શાક, સ્વાદ એવો કે તમે આંગળીઓ ચાટતા રહી જશો, જલ્દી નોંધી લો રેસીપી

રોજ આ સમયે કરશો ડિનર તો મળશે 7 કમાલના ફાયદા, દૂર થઈ જશે શરીરની અનેક પરેશાનીઓ

રોજની આ 5 ભૂલો Vagina ને નુકસાન પહોંચાડે છે, મહિલાઓએ તેને કરવાનું ટાળવું જોઈએ

જલજીરા શિકંજી

છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

આગળનો લેખ
Show comments