Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31મીએ પાટીદારો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણથી અળગા રહે તેવી શક્યતાઓ

31મીએ પાટીદારો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણથી અળગા રહે તેવી શક્યતાઓ
, શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (12:01 IST)
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ અગાઉ ભાજપ સરકારે વિરોધવંટોળનો સામનો કરવો પડે તેમ છે કેમકે, આદિવાસીઓએ ચૂલા નહી સળગાવીને વિરોધ કરવા એલાન કર્યુ છે ત્યા હવે પાટીદારોએ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમથી અળગા રહેવા નક્કી કર્યુ છે.
૩૧મીએ એસપીજીએ રાજકોટમાં એક વિશાળ કર્મવીર રેલી યોજવા આયોજન ઘડયુ છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ભાજપ પર આક્ષેપો કરતાં જણાવ્યું કે, સરદાર તો ખેડૂતોના હામી હતા પણ ભાજપ તો ખેડૂતોની વિરોધી હોય તેવુ વર્તી રહી છે. ભાજપ માત્રને માત્ર સરદારના નામે રાજનીતિ રમી રહી છે.અનામત ન મળતાં નારાજ પાટીદારોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરવાનો આ રાજકીય કારસો જ છે.
સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિના દિવસે મહેસાણાથી ૧૪૩ કારોનો કાફલો રાજકોટ જવા રવાના થશે. આ રેલીમાં સરદાર પટેલ ઉપરાંત માં ખોડલની સુશોભિત પ્રતિમા હશે. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. આમ,સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમની સમાંતર પાટીદારોએ પણ કાર્યક્રમ આયોજિત કર્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં શંકાસ્પદ ઝીકા વાયરસના ત્રણ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું