Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે સબરીમાલા મંદિરમાં જઈ શકશે દરેક વયની સ્ત્રીઓ, ભક્તિમાં ભેદભાવ નથી કરી શકાતો

Webdunia
શુક્રવાર, 28 સપ્ટેમ્બર 2018 (12:38 IST)
કેરલના સબરીમાલા સ્થિત અયુપ્પા મંદિરમાં બધી વયની સ્ત્રીઓને પ્રવેશનો રસ્તો મોકળો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટંના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પીઠે 4:1 ના બહુમતન આ નિર્ણયમાં કહ્યુ કે મંદિરમાં સ્ત્રીઓનો પ્રવેશ રોકવો લૈગિક આધાર પર ભેદભાવ છે અને આ પ્રથા હિન્દુ મહિલાઓના અધિકારોનુ ઉલ્લંઘન કરે છે. 
 
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની પીઠે મામલામાં ચાર જુદા જુદા નિર્ણય લખ્યા. ન્યાયમૂર્તિ આર. એફ નરીમન અને ન્યાયમૂર્તિ ડી. વાઈ. ચંદ્રચૂડે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એ.એમ ખાનવિલકરના નિર્ણય સાથે સહમતિ વ્યક્ત કરી. જ્યારે કે ન્યાયમૂર્તિ ઈદ્રુ મલ્હોત્રાનો નિર્ણય બહુમતથી વિપરિત હતો. ઉલ્લેખનીય છે કે 
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ પીટીશનમાં તેની જોગવાઇને પડકારાઈ છે. તેના અંતર્ગત મંદિરમાં 10 થી 50 વર્ષની ઉંમરની મહિલાઓને પ્રવેશ પર અત્યાર સુધી સુધી પ્રતિબંધ હતો.
 
ઈન્દુ મલ્હોત્રાનો ચુકાદો જુદો 
 
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું કે આ કેસની તમામ ધર્મો પર વ્યાપક અસર છે. દેશમાં ધર્મનિરપેક્ષ માહોલને બનાવી રાખવા માટે ધાર્મિક બાબતો સાથે છેડછાડ કરવી જોઇએ નહીં. જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ કહ્યું કે અહીં બરાબરીનો અધિકાર, ધર્મ પાલનના અધિકારની સાથે કેટલાંક ટકરાવ પણ સામે આવી રહ્યા છે, જો કે પોતાનો એક મૂળભૂત અધિકાર છે. જસ્ટિસ મલ્હોત્રાએ તર્ક આપ્યો કે ભારતમાં વિવિધ ધાર્મિક પ્રથાઓ છે. સંવિધાન તમામને પોતાના ધર્મનો પ્રચાર કરવા અને અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. એવામાં કોર્ટે આ પ્રકારની ધાર્મિક પ્રથાઓમાં હસ્તતક્ષેપ કરવો જોઇએ નહીં ભલે પછી તે ભેદભાવપૂર્ણ જ કેમ ના હોય.
 
બોર્ડ દાખલ કરશે પુનર્વિચાર પીટીશન
 
બીજીબાજુ ત્રાવણકોર દેવાસમ બોર્ડના અધ્યક્ષ એ.પદ્મકુમારે કહ્યું છે કે બીજા ધાર્મિક પ્રમુખો સાથે સમર્થન મળ્યા બાદ તેઓ આ ચુકાદાની વિરૂદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરશે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments