Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરખેજથી ચિલોડા સુધીના 44 KM હાઇવેને સિક્સ લેન બનાવાશે, રૂપાણીના હાથે ખાતમુહૂર્ત

Webdunia
સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (12:03 IST)
સરખેજ, ગાંધીનગરથી ચિલોડા સુધીના 44 કિલોમીટરના હાઇવેને છ માર્ગીય બનાવવા માટેના કામનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામ પાછળ રૂ. 867 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સોલા સિવિલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. હાલ આ રસ્તો ફોર લેનનો છે. આ રસ્તાને પહોળો કરીને સિક્સ લેન કરવામાં આવશે. એટલું જ નહીં હાઇવેની બંને બાજુ સાત મીટર પહોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે. આ રસ્તા પર નવા સાત ફ્લાયઓવર પણ બનાવવામાં આવશે. 
સરખેજથી ચિલોડા સુધીમાં આવતા ઉજાલા સર્કલ, સાણંદ ચોકડી, પકવાન ચાર રસ્તા, વૈષ્ણોદેવી, ઉવારસદ, સરગાસરણ અને ઇન્ફોસિટી ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવશે.એટલું જ અમદાવાદના થલતેજ અંડરપાસથી લઈને સોલા ભાગવત સુધી 4.18 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર પણ બનશે. આ કોરિડોર ગુજરાતનો પ્રથમ સિક્સ લેન એલિવેટેડ કોરિડોર હશે. હાઇવે પર આવતા બે રેલવે બ્રિજને પણ 7-8 લેન પહોળા કરવામાં આવશે.44 કિલોમીટરના રસ્તા પર આકર્ષણ માટે દેશમાં સૌ પ્રથમ વખત લેન્ડ સ્કેપિંગનો પ્રયોગ કરવામાં આવશે. જેમાં હાઇવેની બંને બાજુએ ડિઝાઇનવાળા રસ્તા કરાશે. જેમાં ગાર્ડનિંગ કરવામાં આવશે. એટલું જ નહીં હાઇવે પર સાઉન્ડ બેરિયર તથા ડિસ્પ્લે બોર્ડ મૂકાશે. આ ડિસ્પ્લેમાં વાહનચાલકો હવામાન તેમજ આગળ ટ્રાફિકની માહિતી મેળવી શકશે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments