rashifal-2026

રાજ્ય સરકાર સામે સોશિયલ મીડિયામાં આંદોલન શરુ થયુંઃ સરકાર નહીં માને તો રસ્તે ઉતરશે

Webdunia
ગુરુવાર, 2 જુલાઈ 2020 (15:23 IST)
રાજ્ય સરકારની સરકારી શાળાના શિક્ષકો દ્વારા 4200 પે ગ્રેડની માગણી સાથેનું આંદોલન સોશિયલ મીડિયા પર ચાલુ કર્યું છે.4200 પે ગ્રેડ નામનું ફેસબુક પેજ બનાવી આ સરકરી કર્મચારીઓ દ્વારા દિવસની 5 હજાર થી પણ વધુ પોસ્ટ કરવામાં આવે છે.એટલે કે આ સોશિયલ મીડિયા આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે.તો સાથે જ હવે જન અધિકાર મંચના આંદોલનકારી નેતા પ્રવીણ રામ પણ આ સરકારી કર્મચારીઓના આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. એક ન્યૂઝ ચેનલને પ્રવીણ રામે આ મામલે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં  વર્ષે 2010 પછી ભરતી કરેલા સરકારી શિક્ષકોને પે ગ્રેડ એ 2800 રૂપિયાનો આપે છે. જ્યારે વર્ષે 2010 પહેલાની ભરતી કરેલા શિક્ષકોને પે ગ્રેડ 4200 રૂપિયાનો મળે છે . તેમણે વધુમાં જણાવ્યું કે, સમાન કામ સમાન વેતનના સ્થાને રાજ્ય સરકારે વિસંગતા ઉભી કરી જેના કારણે શિક્ષકો હાલ સોશિયલ મીડિયા પર આંદોલન કરી રહ્યા છે. જો સરકાર શિક્ષકોની વાત સ્વીકારશે નહિ તો રોડ-રસ્તા પરના આંદોલન માટે તૈયાર રહે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

આગળનો લેખ
Show comments