Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિક્ષાચાલકોની માગ નહીં સંતોષાતા 7મી જુલાઈએ હડતાળની ચીમકી

Webdunia
ગુરુવાર, 2 જુલાઈ 2020 (14:16 IST)
ઓટો રિક્ષાચાલકોના વિવિધ એસોસિએશને આગામી 7 જુલાઈએ હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સરકારે આત્મનિર્ભર પેકેજમાં રિક્ષાચાલકો પ્રત્યે નકારાત્મક અભિગમ દાખવ્યો છે.  આ અંગે ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, સરકારે કોરોના મહામારીથી થયેલા નુકસાનમાં તથા લૉકડાઉન દરમિયાન આર્થિક સહાય કરવાની ના પાડી હતી. આ ઉપરાંત  બેંકના નિયમ મુજબ જ લોન મળશે તેમ જણાવ્યું હતું. આત્મનિર્ભર યોજના અંતર્ગત દસ્તાવેજો ભેગા કરવા ઘણા જ મુશ્કેલ છે અને તેના નિયમો પણ ખૂબ કડક હોવાથી તમામ રિક્ષાચાલકોને આ સહાય મળી શકે તેમ નથી. આમ રિક્ષાચાલકોએ 7 જુલાઈ 2020ના રોજ વિરોધ દર્શાવવા માટે એક દિવસની પ્રતીક હડતાલનું હથિયાર ઉગામ્યું છે. આ સંપૂર્ણ આંદોલનની જવાબદારી ઓટોરિક્ષા ચાલકોના અગ્રણી આગેવાન અશોક પંજાબીના નેજા હેઠળ કરવામાં આવશે, જેમાં અમદાવાદના વિવિધ સાત યુનિયનો દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે.

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments