Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરી 6 હજાર સાગરખેડુઓ દરિયો ખૂંદવા રવાના થયાં

Gujarat news
Webdunia
ગુરુવાર, 2 જુલાઈ 2020 (12:45 IST)
લોકડાઉનમાં નર્મદાના નીર શુધ્ધ અને નિર્મળ બનતા માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે.લોકડાઉનના કારણે પણ નર્મદાના જળ શુદ્ધ બનતા આ સીઝન સારી જાય તેવી આશા માછીમારો રાખી રહ્યાં છે. ભરૂચ જિલ્લામાં 25 હજારથી વધુ માછીમારોએ બુધવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અને દૂગ્ધાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કર્યો છે. ભાડભૂત ખાતે માછીમારોએ ઉત્સવમય માહોલ વચ્ચે નર્મદા માતાના ભજનો ગાઈને 121 મીટર લાંબી ચૂંદડી ચઢાવી 1200 બોટમાં 6000 માછીમારો અંદાજિત 35 કિમી સુધી 7 દિવસ સમુદ્ર ખૂંદવા રવાના થઇ રહ્યાં છે. ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડીને જિલ્લાના 25 હજારથી વધારે માછીમારો આખા વર્ષની રોજગારી પ્રાપ્ત કરે છે. ભાડભૂતના નર્મદાકાંઠે બુધવારે સવારથી માછીમારોમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો. માછીમાર સમાજના લોકો ઢોલ નગારા સાથે નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પહોંચી માતાજીનું પૂજન અર્ચન કર્યુ હતું. નર્મદા માતાના મંદિરે ભજન રમઝટ બાદ માછીમારોએ નર્મદા નદીના એક કિનારાથી બીજા કિનારા સુધી નદીના જળમાં દુધનો અભિષેક કરી 121 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરીને તેમની આ સીઝન સારી રહે તે માટે નર્મદા મૈયા અને દરિયાલાલને પ્રાર્થના કરી હતી.  પૂજન અર્ચન બાદ માછીમારો નાવડીઓ લઇ 7 દિવસ દરીયામાં 35 કિમી સુધી હિલ્સા માછલી પકડે છે. હિલ્સા માછલી દર વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી મીઠા પાણીમાં ઇંડા મૂકવા આવે છે. સુરત,મુંબઇ અને કલકત્તાના વેપારીઓ હિલ્સા માછલી ખરીદવા ધામા નાખે છે. આ માછલીની વિદેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments