Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીએ મોદી સમાજને લઇ કરેલી ટિપ્પણીના બદનક્ષી કેસમાં હાઈકોર્ટે સાહેદોને તપાસવાની પિટીશન મંજૂર કરી

Webdunia
ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (08:25 IST)
રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના પોલાર ખાતે ચૂંટણી સભાને સંબોધતી વખતે નરેન્દ્ર મોદીને લઇને ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો માંડ્યો હતો. જેમાં સાહેદોને ચેક કરવાની પિટિશન હાઈકોર્ટે ખાતે કરવામાં આવી હતી. જેને નામદાર હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છે. બદનક્ષીના કેસ દરમિયાન રાહુલ ગાંધી સુરત ખાતે હાજર રહ્યા હતા. ફરિયાદી પક્ષ દ્વારા સુરત કોર્ટમાં આ સંદર્ભના સાહેદોને તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને સુરતની ચીફ જ્યુડીશિયલ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂર્ણેશ મોદી અને તેમના વકીલ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેમાં હાઈકોર્ટે બદનક્ષીના કેસમાં જરૂર જણાય એટલા સાહેદોને તપાસ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. સુરત ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં ફરિયાદ વકીલ દ્વારા 4 સાહેદોને તપાસવા માટે અરજી કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી સભાઓને ગજાવતા ટિપ્પણી કરી હતી કે મોદી અટક વાળા તમામ લોકો ચોર કેમ હોય છે. જેમાં તેમણે લલિત મોદી, નીરવ મોદી આ બધા જ મોદીઓ ચોર છે. જેને ધ્યાનમાં રાખીને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને બદનક્ષીનો દાવો માંડ્યો હતો. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ દ્વારા અમને અમારો પક્ષ વધુ મજબૂતાઈથી મૂકવા માટેની મંજૂરી આપી છે. પહેલા અમે 4 સાહેદોની તપાસ કરવા માટે અરજી કરી હતી. પરંતુ હવે અમે ફરી એકવાર અભ્યાસ કરીશું અને કેટલા સાહેદોને આ કેસની અંદર તપાસવા જરૂરી છે. તેનો નિર્ણય લીધા બાદ નામદાર કોર્ટને જણાવીશું તે પ્રમાણે સાહેદોની તપાસ કરાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments