Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ જિલ્લા માટે સારા સમાચાર: આજે કોરોના નિલ, માત્રા આટલા છે એક્ટિવ કેસ

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (15:28 IST)
જિલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રના સફળ પ્રયાસોના પરિણામો આજે કોરોનાનો એક પણ નવો કેસ તાપી જિલ્લામાં નોંધાયો નથી. છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હતો. એક પછી એક તાલુકાઓમાં નવા કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા અંતે આજે જિલ્લામાં નવા કેસોનો અંક ઝીરો નોંધાતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
જિલ્લા કલેકટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોના સફળ સંકલન અને માઇક્રોપ્લાનીંગ દ્વારા કરેલ વ્યુહ રચના કારણે આ સફળતા પામી શકયા છે. જેના માટે જિલ્લા આરોગ્ય વિભાગ, પોલિસ વિભાગ, સફાઇ કર્મચારીઓ, આશાવર્કર, આંગણવાડી કાર્યકરો, વહિવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ, તમામ નામી-અનામી કોરોના ફ્રટલાઇનર્સ અને સૌથી મહત્વપૂર્ણ જાહેર જનતા અભિનંદનને પાત્ર છે. 
 
ફ્રંટલાઇનર્સના પરિશ્રમ, સેવાભાવના તથા જાહેરજનતા એ જેવી રીતે લોકડાઉન, કોરોના માર્ગદર્શિકાનું પાલન, રસીકરણમાં સાથ સહકાર આપી તમામ સાવચેતીઓ જાળવી મુશ્કેલ પરિસ્થિતિમાં ધૈર્ય સાધ્યું તેના જ પરિણામે આજે આપણે કોરોનાને પરાસ્ત કરવામાં પહેલી સફળતા પ્રાપ્ત કરી છે. સંપૂર્ણ સફળતા ત્યારે મળશે જયારે જિલ્લામાં રસીકરણ ૧૦૦ ટકા થશે. 
 
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, સૌના સહિયારા પ્રયાસોના કારણે આપણે જિલ્લાને કોરોના મુકત બનાવી શકયા છીએ. વધુમાં તેમણે તાપી જિલ્લાને કોરોના મુક્ત બનાવી રાખવા માટે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરી રસીકરણને વેગવાન બનાવવા અપીલ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments