Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં જમીન મુદ્દે દલિત પરિવારના 8થી વધુનો આત્મવિલોપનનો પ્રયાસ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (10:28 IST)
રાજકોટમાં નવા રેસકોર્સ પાસે જમીન મુદ્દે દલિત પરિવારના 8 જેટલા લોકોએ શરીરે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો,  પોલીસે તેમને રોકી અટકાયત કરી લીધી હતી. હાલ તમામની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઇ જવામા આવ્યાં છે. દલિત પરિવારની જમીન સરકારે અન્ય કોઇને આપી દેવાનો આક્ષેપ દલિત પરિવારે કર્યો હતો અને સરકાર દલિતોને જીવવા નહીં દે તેવા આક્ષેપો કર્યા હતા. જો પોલીસ અહીં હાજર ન હોત તો મોટી ઘટના સર્જાઇ જાત. જો કે કેરોસીન છાંટ્યા બાદ કાંડી ચાપે તે પહેલા જ તમામની અટકાયત કરી લેતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

બસપાના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સામાજીક કાર્યકર મહેશ પરમારે સોશિયલ મીડિયામાં શેર કરી કહ્યું હતું કે, પૂર્વજોના વંશની 1966-67ના કબ્જાવાળી જમીન રૈયા સર્વે નં. 318 ખેતીની હોવા છતાં અમને આપી નથી. હાલ કલેક્ટર પાસે અનેક વખત માગણી કરી છે. કોર્ટમાં પણ કેસ પેડિંગ છે, છતાં આ જમની સ્વામિનારાયણ સંપ્રદાયને આપી દીધાનો આક્ષેપ કર્યો હતો અને જમીન પર બળજબરીપૂર્વક કબ્જો કરી લીધો હતો. આ જમીન નહીં છોડે તો પરિવારના 20 જેટલા સભ્યો સામૂહિક આત્મવિલોપન કરશે તેવું જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે 8થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા અને શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પહેલા જ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments