Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂપાણી સરકારનાં 475 નિર્ણયો છતાં પ્રજા ત્રસ્ત કેમ - વિપક્ષી નેતા પરેશ ધાનાણી

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (14:34 IST)
ગુજરાતમાં ભાજપની સરકાર છેલ્લા 22 વર્ષ સતત સત્તા પર બેઠેલી છે. ત્યારે તેમના દ્વારા કેટલા નિર્ણયો લેવામાં આવ્યા અને કેટલા પુરા થયા તે અંગે વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ખુલાસો કરતા ગુજરાતની જનતાને જણાવ્યું હતુ. તેમણે ખેડૂતો, મોંઘા બિયારણ, જંતુનાશકોની સમસ્યાઓ, નલિયા દુષ્ક્રર્મ કાંડ, યુવાનોને રોજગારી, ફિક્સ પગારદારોનું શોષણ, મોંઘુ શિક્ષણ જેવા મુદ્દાઓ પર સરકારને પડકાર ફેંક્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ સરકાર માટે હવે કોઇ પણ મોટો નિર્ણય લેવો તે મુસિબતને સામેથી બોલાવવા બરાબર બની ગયુ છે. જેનુ કારણ, સરકાર દ્વારા એકપણ નિર્ણયો લેવાયા તેમાં પુરા કરાયા હોય તેવા નિર્ણયો ના બરાબર છે. રૂપાણી સરકારનાં 365 દિવસનાં શાસનમાં 475 નિર્ણયો લેવામાં આવ્યા હોવાના સરકારનાં દાવાની પોલ વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ ખોલી દીધી છે. તેમણે કહ્યુ કે, રૂપાણી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયોમાં ઉતાવળ હોવાનું વધુ પુરવાર થાય છે, આટલા બધા નિર્ણયો છતા ગુજરાતની જનતા કેમ ત્રસ્ત છે? જેમ કોઇના પરસેવાની કમાણીનાં બેંકનાં નાણાં કોઇ અન્ય પચાવી પાડે છે, તેમ સરકારી યોજનાઓનો લાભ પણ આ પ્રકારનાં લોકો જ લઇ જાય છે. આજે ગુજરાતમાં દેવામાં ડૂબેલા ખેડૂતો પર વીજચોરીનાં ખોટા કેસો કરીને દંડ ફટકારવામા આવી રહ્યો છે, ગરીબોને જમીન મળતી નથી અને સરકાર બે પગનાં આખલાઓને જમીન લૂંટાવી રહી છે, ગામમાં રામ રેઢાં રખડે છે અને ભાજપ અયોધ્યામાં રામમંદિર બનાવવાની મોટી મોટી વાતો કરે છે. પરેશ ધાનાણીએ કહ્યુ કે, ગુજરાતની સરકાર શિક્ષણ ક્ષેત્રે કોઇ ખાસ નિર્ણયો લઇ રહી નથી, માત્ર સ્લોગન પર સમગ્ર સરકારને ચલાવવામાં આવી રહી છે. જો કે ગુજરાતમાં બીજા રાજ્યની સરખામણીમાં શિક્ષણનું સ્તર વધ્યુ છે. પરંતુ તેમાં ભાજપ સરકારનો કોઇ હાથ નથી, ગુજરાતનાં લોકો શરૂઆતથી જ ભણતરને મહત્વ આપે છે. જો સરકાર શિક્ષણ ક્ષેત્રમાં કોઇ ખાસ પગલા લેશે તો આવનારા ભવિષ્યમાં કેરળની જેમ ગુજરાત પણ શિક્ષણ ક્ષેત્રમાં વધુ આગળ આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments