Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ પદભાર સંભાળ્યો

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ પદભાર સંભાળ્યો
Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2018 (13:17 IST)
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીએ પદભાર સંભાળ્યો છે. સ્વર્ણિમ સંકુલ-2માં આવેલી વિધાનસભાના વિપક્ષના નેતાની ઓફિસમાં તેઓએ પોતાનો પદભાર સંભાળ્યો છે. પરેશ ધાનાણીએ પદભાર સંભાળતા પહેલા પોતાની ઓફિસમાં પૂજા અર્ચના સાથે ધાર્મિકવિધિ સંપન્ન્ કરી હતી.પરેશ ધાનાણી અમરેલીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે અને દિલ્હીથી કોંગ્રેસ હાઈ કમાન્ડે પરેશ ધાનાણીની વિપક્ષના નેતા તરીકે પસંદગી ઉતારી છે. જે બાદ તેઓએ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે.

આ પ્રસંગે પાર્ટીના નેતાઓ અને મિત્રોએ તેમને શુભકાના પાઠવી હતી. પરેશ ધાનાણીને શુભકામના આપવા માટે કુંવરજી બાવળિયા પણ પહોંચ્યા હતા.અને પોતે નારાજ હોવાની વાતનને નકારી દીધી હતી. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પસંદગી પામેલા પરેશ ધાનાણી આજે સચિવાલય ખાતેને વિપક્ષના નેતાની ઓફિસમાં પદભાર સંભાળવાના છે. જો કે તેઓએ પદભાર સંભાળે તે પહેલા તેમની ઓફિસમાં જ ધાર્મિક વિધિમાં સામેલ થયા. આજે યોજાનારી બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. વિધાનસભામાં સરકારને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા થવાની છે. વિધાનસભાની ચુંટણીઓનાં પરીણામ આવ્યાને એક મહિના બાદ આજે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પણ યોજાવવાની છે. જેમાં વિપક્ષના નેતા તરીકે પરેશા ધાનાણીની વિધિવત રીતે પસંદગી. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. વિધાનસભામાં સરકારને ઘેરવાની રણનીતિ પર પણ ચર્ચા થવાની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કેટલા કરોડ વર્ષ

ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરો વર્ગમાં આવ્યો

ગુજરાતી જોક્સ - ગરોળી બની

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

ગુજરાતી જોક્સ - બારમાં દારૂ પીને

વધુ જુઓ..

નવીનતમ

Tricks to remove dahi sourness: શું દહીં વાસી થવાને કારણે ખાટું થઈ ગયું છે? આ સરળ રસોડાની ટિપ્સથી સ્વાદને સંતુલિત કરો

Cabbage consume- કોબીના સેવન કરતા પહેલા જાણી લો, જંતુઓ છે જીવલેણ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય?

તેનાલીરામની વાર્તા - સિંહ પકડાયો

8 March Woman's Day- મહિલા દિવસ પર ભાષણ

આજે તમારી થાળીમાં શુ છે - જાણો સાત્વિક, રાજસિક અને તામસિક ભોજનનો પ્રભાવ, આયુર્વેદ મુજબ આહાર નિયમ

આગળનો લેખ
Show comments