Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓને આપી નીટ, પેપર સરળ હોવાથી વિદ્યાર્થીઓ ખુશ

Webdunia
સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (10:45 IST)
મેડિકલ-પેરામેડિકલ સ્નાતક પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ એલિજિબિટી કમ એન્ટ્રેસ ટેસટ (નીટ)ની પરીક્ષા રવિવારે અમદાવાદ સહિત ગુજરાતના 217 પરીક્ષા કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી. 
 
કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર સોશિયલ ડિસ્ટેંસિંગ, સેનેટાઇઝજેશન, ટેમ્પરેચર માપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થી અને વાલીઓ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં જોવા મળ્યા હતા.
 
નીટનું પેપર સરળ રહ્યું જેથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જે પ્રકારે મેમાં યોજાનારી પરીક્ષા સપ્ટેમ્બર સુધી ખેંચાઇ રહી હતી. તેનાથી તણાવ વધી ગયો હતો. પરંતુ પુરતો સમય મળ્યો તે મુજબ પેપર ખૂબ સરળ પૂછવામાં આવ્યું હતું. કોરોનાથી બચવાની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી. ત્રણ વાર સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. બે વાર ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને માસ્ક અને ગ્લોસ પહેરીને પરીક્ષા લેવામાં આવી હતી. 
 
ગુજરાતમાં 80,219 વિદ્યાર્થીએ નીટની યૂજી પરીક્ષામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેના માટે એનટીએ દ્વારા ગુજરાતમાં 10 જિલ્લામાં આ વર્ષે 214 પરીક્ષા કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી .સવારે 100 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. દોઢ વાગ્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પેપર બ્પોરે બે વાગ્યાથી માંડીને સાંજે પાંચ વાગ્યા લેવામાં આવ્યું હતું. 
 
કોવિડ 19 પ્રતિબંધો તથા સોશિયલ ડિસ્ટન્સના અનુરૂપ પરીક્ષા એજન્સીએ આ અઠવાડિયે કેટલાક વિદ્યાર્થીના કેન્દ્રોમાં ફેરફાર પણ કર્યો છે. જેથી કોઇપણ ઉમેદવાર પરીક્ષા શહેરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. પરીક્ષા કેન્દ્રના પ્રવેશ અદ્વારા અને પરીક્ષા રૂમની અંદર સેનિટાઇઝર ઉપલબ્ધ રહેશે અને પરીક્ષા પ્રવેશ પત્રને હાથ વડે તપાસ કરવાના બદલે તેને કોડ યુક્ત બનાવવામાં આવ્યું. આ સાથે જ રૂમમાં ઓછી સંખ્યામાં ઉમેદવારો અને પ્રવેશ તથા બહાર નિકળવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments