Webdunia - Bharat's app for daily news and videos

Install App

Motivational Story: પિતાની મદદ કરીને પશુ ચરાવનાર યુવક આકરી મહેનતથી બન્યો IPS, નિર્લિપ્ત રાય પાસેથી લીધી તાલીમ

Webdunia
ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (12:57 IST)
એવું કહેવામાં આવે છે કે આકરી મહેનતનું ફળ મોડું પણ જરૂર મળે છે અને સંઘર્ષ બાદ જે ફળ પ્રાપ્ત થાય છે, તે સંતોષજનક હોય છે. આ કહેવતને અમદાવાદ ઝોન 7ના પોલીસ કમિશ્નર પ્રેમસુખ ડેલૂએ સાચી સાબિત કરી બતાવી છે. ડીસીપી પ્રેમસુખ ડેલ્લોએ ગરીબીને ખૂબ નજીકથી જોઇ છે. પ્રેમસુખનો જન્મ 4 એપ્રિલ 1988ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રિયાસારા ગામમાં થયો હતો. પ્રેમસુખ ડેલૂ અશિક્ષિત માતા-પિતાના ચાર બાળકોમાં સૌથી નાના હતા. ગરીબી અને અભાવ વચ્ચે પણ તેમના માતા-પિતાને શિક્ષાની કિંમતનું જ્ઞાન હતું. 
પ્રેમસુખ ડેલૂના પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે ઉંટલારી ચલાવતા હતા. બીજી તરફ પ્રેમસુખ પણ પોતાની મદદ કરવા માટે બકરીઓ ચરાવતો હતો. પિતાએ બાળકોનો સારો ઉછેર પુરો પાડવા માટે તેમને શિક્ષિત કર્યા જેના કારણે પ્રેમસુખના મોટાભાઇને રાજસ્થાન પોલીસ કોન્ટેબલના રૂપમાં પોસ્ટિંગ મળ્યું. ત્યારબા પ્રેમસુખે સરકારી નોકરી મેળવવાનું લક્ષ્ય બનાવ્યું. પ્રેમસુખે રાજસ્થાનમાં પોતાનું કોલેજ સુધીનું શિક્ષણ પુરૂ કર્યા બાદ અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું. પહેલાં તેમને તલાટીના રૂપમાં નોકરી મળી. તેમછતાં પ્રેમસુખે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું. જેના કારણે પ્રેમસુખને સારી નોકરી મળી. પ્રેમસુખ રાજસ્થાનમાં સહાયક જેલરના રૂપમાં કામ કરી ચૂક્યા છે.  
 
2015માં હિંદી મીડિયમથી અભ્યાસ કરનાર પ્રેમસુખ ડેલૂ યૂપીએસઇની પરીક્ષામાં ભારતમાં 170મા સ્થાન પર હતા. પ્રેમસુખ ડેલૂ એક આઇએએસ અધિકારી બનવા માંગતા હતા પરંતુ પોતની રેન્ક અનુસાર તે એક આઇપીએસ અધિકારી બની ગયા. આઇપીએસ બન્યા બાદ પ્રેમસુખ ડેલૂએ ગુજરાત કેડર ફાળવવામાં આવી અને તમામ ટ્રેનિંગ પુરી કર્યા બાદ ગુજરાત આવી ગયા.
 
પ્રેમસુખ ડેલૂએ અમરેલીથી પોતાની ટ્રેનિંગના તબક્કાની શરૂઆત કરી અને અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ બાદ પ્રેમસુખ ડેલૂને એસપીના રૂપમાં પ્રમોશન મળ્યું હતું અને હવે તેમને અમદાવાદ ઝોન 7માં પોલીસ કમિશ્નરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે કહેવામાં આવે છે કે ગુજરાત પોલીસના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે ગુજરાત પોલીસને વધુ એક નિર્લિપ્ત રાય મળવા જઇ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments