Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર બંધની અસર સુરતમાં, ચક્કાજામ, એસટી બસો અને ટ્રેનો અટકાવાઈ

મહારાષ્ટ્ર બંધ
Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (16:21 IST)
પૂણેના ભીમા કોરેગાંવ ઘટનાના પગલે મહારાષ્ટ્ર બંધની અસરના કારણે સુરતથી મહારાષ્ટ્ર જતી 31 બસના રૂટ કેન્સલ કરવામાં આવ્યાં છે. જેથી સુરતમાં પણ પેસેન્જરની હાલત કફોડી થઈ હતી. દરમિયાન ઉધના સ્ટેશન ખાતે લોકો રસ્તા પર ઉતર્યા છે. અને ચક્કાજામની સ્થિતિ ઉદભવી છે. અને ઉધના સ્ટેશન પર બે ટ્રેન પણ અટકાવી દેવામાં આવી હતી. મહારાષ્ટ્ર હિંસાની અસર સુરતમાં જોવા મળી રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને રેલી રૂપે વિરોધ નોંધાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ ઉધનાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન ઉધના સ્ટેશન નજીક ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે.

ઉધના સ્ટેશન પર બે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતથી મુંબઈ, પુણે, અકોલા, શિરડી, પંઢરપુર, ઔરંગાબાદ, ધુળે, અમલનેર, ચોપડા, શિરપુર, માલેગાંવ, ભુસાવળ અને નંદુરબાર જેવી અનેક રૂટની બસો રદ્દ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર જતા મુસાફરો અટવાયા છે. સુરત આવી પહોંચેલી મહારાષ્ટ્રની બસોને માત્ર નવાપુર ગુજરાત બોર્ડર સુધી દોડાવાઈ રહી છે. મહારાષ્ટ્રની કુલ 50 થી વધુ બસોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. જેથી સુરતની એસટી તંત્ર લાખોનું નુકશાન થયું છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments