Webdunia - Bharat's app for daily news and videos

Install App

AAPમાંથી સંજય સિંહ-એડી ગુપ્તા અને સુશીલ ગુપ્તા જશે રાજ્યસભા, વિશ્વાસ બોલ્યા મને સત્ય બોલવાનુ ઈનામ મળ્યુ

આપ
Webdunia
બુધવાર, 3 જાન્યુઆરી 2018 (15:08 IST)
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ચાલી રહેલી આમ આદમી પાર્ટીની પીએસીની બેઠક ખતમ થઈ ગઈ છે. બેઠક પછી મનીષ સિસોદિયાએ પ્રેસ કોંફ્રેંસ કરી કહ્યુ કે દેશમાં લગભગ 18 મોટી હસ્તિયોના નામ પર ચર્ચા થઈ પણ કેન્દ્રના ડરથી બધાએ ના પાડી દીધી. બેઠકમાં સંજય સિંહ, એનડી ગુપ્તા અને સુશીલ ગુપ્તાના નામ પર સહમતિ બની છે.  સિસોદિયાએ કહ્યુ કે રાજ્યસભા જનારા પ્રથમ સભ્યનુ નામ સંજય સિંહ છે. સંજય યૂપીના પ્રભારી અને પાર્ટીના વરિષ્ઠ નેતા છે. 
 
બીજુ નામ સુશીલ ગુપ્તા જે દિલ્હીના મોટા વેપારી છે. દિલ્હીમાં તેમની શાળા અને હોસ્પિટલ છે. તેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને એક મહિના પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ. 
 
ત્રીજુ નામ છે નવીન ગુપ્તાનું છે.  નવીન વ્યવસાયે ચાર્ટડ એકાઉંટેંટ છે અને હાલ ધ ઈંસ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉંટ ઓફ ઈંડિયાના વાઈસ પ્રેસીડેંટ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 70 વિધાનસભા સીટોમાંહ્તી 66 નામ પર આમ આદમી પાર્ટીનો કબજો છે.  5 જાન્યુઆરીના રાજ્યસભા માટે નામાંકનની અંતિમ તારીખ છે. 
 
રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામની જાહેરાત ન થયા બાદ કુમાર વિશ્વાસે કહ્યું કે, મેં જે સત્ય કહ્યું હતું તેનો પુરસ્કાર મને આપવામાં આવ્યો. અરવિંદે મને હસતા મોંએ કહ્યું હતું કે સરજી તમને મારીશું પરંતુ શહીદ નહીં થવા દઇએ. હું તેમને અભિનંદન આપું છું કે મેં મારી શહીદી સ્વીકારી લીધી છે. હું જાણું છું કે કેજરીવાલની ઇચ્છા વગર અમારી પાર્ટીમાં કંઈ થતું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments