Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં પાકિસ્તાની શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ અપાયું

Webdunia
શનિવાર, 21 ડિસેમ્બર 2019 (14:51 IST)
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા એનઆરસી અને સીએએના પગલે કચ્છમાં વસતા શરણાર્થીઓમાં દિવાળી જેવો માહોલ છે. શુક્રવારે કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે કેન્દ્રીય રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયા, સાંસદ વિનોદ ચાવડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાકિસ્તાનના સિંધ પ્રાંતના પૂર્વ ધારાસભ્ય અને હાલ કચ્છમાં નખત્રાણા મધ્યે રહેતા રામસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અમારી વર્ષો જૂની પીડાનો, વેદનાનો અંત આવ્યો છે.

આ પ્રસંગે મનસુખભાઇએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદના બંને સદનમાં આ બિલને પસાર કરવામાં આવ્યું અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે સીએએ (નાગરિકતા સંશોધન કાયદો) આખાએ દેશમાં લાગુ થઇ રહ્યો છે, આ નિર્ણય વર્ષોથી ભારતમાં રહેતા શરણાર્થીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅને ગૃહ પ્રધાન અમિતભાઈએ દેશમાં વર્ષોથી શરણાર્થીઓ તરીકે રહેતા પરિવારોને આત્મસન્માન આપ્યું છે. ૨૦૧૪ પહેલા ભારતમાં આશ્રય લેનાર શરણાર્થીઓને જ ભારતીય નાગરિકતા અપાશે એ બાબતે લોકોમાં ખોટી ગેરસમજ ફેલાઇ રહી છે. સરકાર કોઈ પણ જાતિ કે સમુદાય વિરુદ્ધ નથી. એટલે સમાજનું હાર્દ જળવાઈ રહે તે જોવાની સૌની ફરજ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments