Webdunia - Bharat's app for daily news and videos

Install App

કડીની મેડા આદરજ પ્રાથમિક શાળાના 11 શિક્ષક માનસિક ત્રાસ આપતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

Webdunia
બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (09:48 IST)
કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ મંગળવારે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે.

મેડા આદરજ શાળાનાં 11 શિક્ષકો અને કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનસિક ત્રાસ આપતાં હોવાની સુસાઈડ નોટ લખતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. કડી તાલુકાના ચંદનપુરા (થોળ) ગામનાં જયશ્રીબેન પોપટભાઈ પટેલ મેડા આદરજ પ્રાથમિક શાળામાં વર્ષ 2011થી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જયશ્રીબેને ઘાટલોડિયા સ્થિત નિવાસ સ્થાને 4 પેજની સુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં અમદાવાદની સત્તાધાર ચોકડી સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જ્યાં 72 કલાક ક્રિટિકલ હોવાનું ફોઈના દીકરા પ્રફુલભાઈ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.

સ્યુસાઈડ નોટમાં જયશ્રીબેન પટેલ દ્વારા કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને મેડા આદરજ પ્રાથમિક શાળાના 2 શિક્ષક અને 9 શિક્ષિકા મળી 11 શિક્ષકો સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. ગોઝારિયાનાં વતની અને શિક્ષિકાના ફોઈના દીકરા પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે, ઘાટલોડિયા પોલીસને જાણ કરતાં તેઓ ભાનમાં આવે પછી જાણ કરવા કહ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ગૌરાંગ વ્યાસે કહ્યું કે, મેડા આદરજ પ્રાથમિક શાળામાં શિક્ષકોના 2 ગૃપ થઈ ગયા છે. શિક્ષિકા અને આચાર્ય સામે શાળાના અન્ય શિક્ષકોએ રજૂઆત કરી હતી. જેની તપાસ કડી ટીપીઈઓને આપી હતી. તપાસનો અહેવાલ આવી જતાં શનિવારે સુનાવણી પણ રાખી હતી. શિક્ષિકાના આપઘાતના પ્રયાસ અંગે મને કોઇ જાણ નથી.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments